આપણી આસપાસ રહેલા ઘણા લોકો શ્વાસની દુર્ગંધની સમસ્યાથી પીડાય છે. જેના કારણે લોકો તમારાથી દૂર ભાગવા લાગે છે. શ્વાસની દુર્ગંધ તમારા એકંદર વ્યક્તિત્વને અસર કરે છે. કેટલાક લોકોને રોજ બ્રશ કર્યા પછી પણ શ્વાસમાં દુર્ગંધ આવે છે.
જો કે, એવું નથી કે શ્વાસની દુર્ગંધ ફક્ત બ્રશ ન કરવાથી આવે છે, પરંતુ તે કિડની અને લીવરને નુકસાન થવાને કારણે પણ હોઈ શકે છે. આ સિવાય આના માટે બીજા પણ ઘણા કારણો છે.
શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો વારંવાર માઉથ ફ્રેશનર અથવા કેમિકલ આધારિત ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. જો કે, ઘરેલું ઉપચારથી પણ શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાયો વિષે.
વધુ પાણી પીવોઃ મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે આ એક રામબાણ ઈલાજ છે. તેથી, મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે, વધુને વધુ પાણી પીવો. કેટલાક લોકો ભોજન કર્યાના થોડા સમય પછી પણ પાણી પીતા નથી, જેના કારણે તેમના મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, યાદ રાખો કે પાણીને એક વાર પીતા રહેવું જોઈએ. તેનાથી મોઢામાં તાજગી જળવાઈ રહેશે.
સરસવના તેલમાં મીઠું ભેળવી માલિશ કરો: ઘણા લોકોના મોઢામાંથી હંમેશા દુર્ગંધ આવે છે. આ વારંવાર શરમ અનુભવે છે. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે દરરોજ સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને પેઢા અને દાંતની માલિશ કરો. આમ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
સુકા ધાણા: સુકા ધાણાનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરી શકાય છે. આખા ધાણાને રોજ ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
વિટામીન સીનો ઉપયોગ કરો: વિટામીન સી દુર્ગંધ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તે બેક્ટેરિયા સામે લડે છે અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. તેથી લીંબુ, સંતરા, દ્રાક્ષ વગેરે ફળ ખાવાથી શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.
વરિયાળી છે ફાયદાકારકઃ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે વરિયાળી સૌથી અસરકારક ઉપાય છે. વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. આજ રીતે લવિંગ કે એલચીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ દાંત અને મોઢાની દુર્ગંધને અટકાવે છે.