આજની આપણી ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીને કારણે સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. સાંધાના દુખાવાની સમસ્યા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપને કારણે થાય છે. આ સિવાય થાક, ઈજા, સંધિવા અને વૃદ્ધત્વને કારણે પણ સાંધાનો દુખાવો થાય છે.
એક રિપોર્ટ અનુસાર દેશમાં દર પાંચમાંથી એક વ્યક્તિ આર્થરાઈટિસથી પીડિત છે. અગાઉ આ બીમારી માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતો હતો, પરંતુ હવે સંધિવાના લક્ષણો યુવાન લોકોમાં પણ જોવા મળે છે.
આ રોગથી પીડિત વ્યક્તિને ચાલવામાં તકલીફ થાય છે. ઉઠવા-બેસવામાં પણ તકલીફ પડે છે. જો તમે પણ સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રસોડામાં રહેલી આ વસ્તુઓનું સેવન કરીને તમે રાહત મેળવી શકો છો. તો આવો જાણીએ .કેવી રીતે.
ગ્રીન ટી: ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે. તેના સેવનથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તેમજ સોજો પણ ઓછો થાય છે. ગ્રીન ટીમાં Epigallocatechin-3-gallate (EGCG) એન્ટીઑકિસડન્ટ હોય છે. તેનાથી સાંધાના દુખાવામાં જલ્દી આરામ મળે છે. આ માટે દરરોજ સવારે અને સાંજે ગ્રીન ટી પીવો.
એપલ સાઇડર વિનેગર: એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવા અને સાંધાના દુખાવામાં ફાયદાકારક સાબિત થાય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. સાંધાનો દુખાવો પણ કેલ્શિયમની ઉણપથી થાય છે.
એપલ સીડર વિનેગરમાં કેલ્શિયમ જોવા મળે છે. આ માટે, એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી સફરજન નું વિનેગર નાખી ને સવારે ભૂખ્યા પેટે પીવું. તેનાથી સાંધાના દુખાવામાં જલ્દી આરામ મળે છે.
ડુંગળી અને લસણ: નિષ્ણાતોના મતે ડુંગળી અને લસણના સેવનથી સાંધાનો દુખાવો દૂર કરી શકાય છે. આ માટે લસણ અને સરસવનું તેલ ગરમ કરો. હવે તેને દુખાવાની જગ્યાઓ પર લગાવો અને હળવા હાથે 5 મિનિટ મસાજ કરો.
લસણમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથે જ દુખાવામાં રાહત આપવા માટે ડુંગળીમાં જરૂરી પોષક તત્વો મળી આવે છે. આ માટે ડુંગળીને ડાયટમાં સામેલ કરો.