આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે સવારે ક્યાંક બહાર કામથી ગયા હોય અને સાંજે ઘરે આવીયે ત્યારે આપણે શરદી કે ખાંસી કે ફ્લૂની સમસ્યા થતી હોય છે. કારણકે બહારનું વાતાવરણમાં ફેરફાર થવાથી અને માટી કે ધૂળના રજકણો શરીરમાં જવાથી શરદી ખાંસી, ગાળામાં બળતરા જેવી સમસ્યા થતી હોય છે.

ઋતુમાં પરિવર્તન થવાથી વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારી થાય તે સામાન્ય છે. ઋતુમાં પરિવર્તન આવતા ઘણી મોસમી બીમારીઓ થતી હોય છે. તેવામાં શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસી થઈ જતી હોય છે. અત્યારના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિને આ સમસ્યા ખુબ જ પરેશાન કરતી હોય છે.

આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે તાવ, શરદી, ખાંસી, નબળાઈ વગેરે રહેતી હોય છે. આરોગ્ય નિષ્ણાત પણ જણાવે છે કે આપણા અનિયમિત આહાર લેવાના કારણે રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થઈ શકે છે.

માટે આપણે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો જોઈએ. જો શિયાળાની ઠંડીની ઋતુમાં શરદી, ખાંસી, ફલૂ થઈ જાય અને દવાખાને ના જવું હોય તો તેને મટાડવા માટે કેટલાક ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવાથી મટાડી શકાય છે. જેથી જલ્દી રાહત મળે.

આજે આ લેખમાં અમે તમને શરદી, ખાંસી અને ફલૂ ને દૂર રાખવા અને દૂર કરવાના કેટલાક આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય નો ઉપયોગ કરવાથી વાયરલ બીમારીથી દૂર રાખવામાં મદદ કરશે.

ઘરેલુ ઉપાય: 1. હળદર અને દૂઘ: અનેક વાયરલ રોગથી બચવા અને શરીરને સુરક્ષિત બનાવી રાખવા માટે હળદર અને દૂઘ ખુબ જ લાભદાયક છે. તેમાં ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ,આયર્ન, સોડિયમ જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે સૌથી પહેલા એક ગ્લાસ દૂધ ને ગરમ કરવા મુકો અને તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને ઉકાળી લો, ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યારે તેને રાત્રે સુવાના 15 મિનિટ પહેલા પી જવું.

આ દૂધ અને હળદરનું સેવન કર્યા પછી એક કલાક સુઘી પાણીનું સેવન ના કરવું. રાત્રે સુતા પહેલા આ ઉપાય કરવાથી શરદી, ખાંસી, ફલૂ જેવી અનેક વાયરલ બીમારી દૂર થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને રાત્રે સારી ઊંઘ આવે છે.

2. વરાળ નો નાસ લેવો: માત્ર વરાળનો નાસ લેવાથી શરદી કે ખાંસી મટી જાય છે. આપણી નળીઓ માં ધૂળ કે માટીના કણો ચોંટેલા હોય છે જેના કારણે શરદી ખાંસી ની સમસ્યા થતી હોય છે. માટે તેને દૂર કરવા માટે દિવસમાં બે થી ત્રણ વખત માત્ર પાણીને ઉકાળીને તેનો નાસ લેવો ફાયદકારક છે. નાસ લેવાથી ગળાનો દુખાવો કે સોઝા ને દૂર કરવાનું કામ કરે છે. જેથી શરદી, ખાંસી અને ફલૂમાં જલ્દી રાહત મળે છે. આ ઉપાય પણ ખૂબ જ સરળ અને ઉપયોગી સાબિત થશે.

3. તુલસીની ચા: શિયાળાની ઠંડીની ઋતુમાં દરેક વ્યક્તિને ચા પીવી ગમે છે. પરંતુ જો ચા માં ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી ઉમેરીને ચા પીવામાં આવે તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. તુલસીમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ તત્વ વાયરલ બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. માટે જો શરદી થાય ત્યારે સવારે અને સાંજે બે ટાઈમ તુલસી વાળી ચા નું સેવન કરવામાં આવે તો શરદી અને ફ્લુમાં માં જલ્દી રાહત મળશે. તુલસી ના પાનનું સેવન આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે પણ લસણ, આદું, હળદર, ગોળ, કાળા તલ વગેરેને આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનું વસ્તુઓનું સેવન કરવાથી શરદી અને ખાંસી માં રાહત મળે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *