દરેક લોકો ની જીવન જીવવાની પ્રણાલી અલગ અલગ હોય છે. ઘણા લોકો સ્વસ્થ અને લાબું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. આજે અમે તમને આ આર્ટિકલમાં એવી કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જે તમે તમારા રોજિંદા જીવન માં અપનાવશો તો હંમેશા સ્વસ્થ રહેશો. આપણે હંમેશા સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ.

તો ચાલો જાણીએ સ્વસ્થ અને નિરોગી રહેવાની કેટલીક સરળ ટિપ્સ વિશે. 1. આપણે સૌથી પહેલા દિવસમાં બે વાર નવશેકું પાણી પીવું જોઈએ. દરરોજ સવારે ઉઠીને નવશેકું પાણી પીવાની ટેવ પાડવી જોઈએ અને રાત્રે સુતા પહેલા પણ નવશેકું પાણી પીવાની આદત પાડવી જોઈએ. 2. બહારના ફાસ્ટ ફૂડ ઓછા ખાવા જોઈએ.

3. જમ્યા પછી દાંત માં ભરાઈ ગયેલ વસ્તુને કાઠવા માટે સડીનો ઉપયોગ ના કરવો જોઈએ. જેથી તમારા દાંતમાં જગ્યા થશે નહીં અને દાંત ને લગતી સમસ્યા ક્યારેય આવશે નહીં. 4. સવારે ઉઠો ત્યારે વાસી થૂંક ગાળામાં ઉતારી દેવું જોઈએ.જેથી હોજરી સારી રહેશે.

5. અઠવાડિયામાં બે-ત્રણ વાર શરીરને તેલ થી માલિશ કરો. હાડકા હંમેશા મજબૂત રહેશે. અને ચામડી પણ મુલાયમ રહેશે. 6. દિવસમાં 2 વાર વાળ માં તેલ નાખીને માલિશ કરવી જોઈએ. જેથી વાળ ખરવાની સમસ્યા કે સફેદ થવાની સમસ્યા ક્યારેય થશે નહિ. 7. નખમાં તેલ પુર્વાથી નખ ક્યારેય સુકાશે નહિ અને વિટામિન ની ખામી દૂર થશે.

8. ઠંડા પાણીથી ચહેરો ઘોવો જોઈએ. જેથી આંખો નું તેજ વઘશે. 9. નાકમાં આવતા વાળને ખેંચવાનું બંઘ કરવું જોઈએ. જેથી તમારા આંખના નંબર પણ આવતા અટકી જશે. 10. નેણ અને પાપણ ને રહેવા દો ચહેરો ભરાવદાર રહેશે. અને સુંદર લાગશે.  11. જયારે શરદી, ઉઘરસ, તાવ માં તુલસી, અરડુસી અને આદું નો ઉપયોગ કરવાથી રાહત થશે.

12. દૂઘને ગરમ કરીને હળદર નાખીને પીવો હંમેશા માટે શરીરને હેલ્ધી રાખશે, આ ઉપરાંત કોલેસ્ટ્રોલ જેવા રોગો દૂર રહેશે અને હળદર વાળું દૂઘ પીવાથી કેન્સર જેવી બીમારીમાં ફાયદાકારક છે. 13. કાચબાની ગતિએ કામ કરવાથી મન શાંત રહશે અને પ્રગતિ કરશો. 14. ઉતાવળ થી શ્વાસ આ લેવો જોઈએ. ફેફસા અને હદય બંને સ્વસ્થ રહેશે.

15. વઘારે પડતું તીખું, ગળ્યું, ખાટું ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ. વાત, પિત્ત અને કફ સરખા રહેશે. જો વાત, પિત્તઅને કફ ત્રિદોષ સમ રહેશે તો શરીરમાં કોઈ રોગ પ્રવેશ કરશે નહિ. 16. તીવ્ર સૂર્યપ્રકાશ સામે ના જોવો આખો સારી રહેશે. 17. વઘારે ઘોંઘાટ વાળી જગ્યાએ જવાનું ટાળો કાન અને મન બંને હંમેશા સ્વસ્થ રહેશે.

18. ગમે તે ટાઈમે ખાવાનું ટાળો. હોજરી સારી રહેશે. 19. દરરોજ લીલા શાકભાજી, ફળો અને ડ્રાયફૂટ નું સેવન કરવું જોઈએ. 20.મીઠાને દાંતે થી ચાવીને કોગળા કરો. દાંતમાં પેઢાના દુખાવા નહિ થાય. 21. બોલવામાં ઘ્યાન રાખો, સામે વાળી વ્યકતિ તમને માન થી જોશે. 22. ભરી સભામાં છીંક, ઉઘરસ આવે તો રૂમાલ રાખો.

23. કોમ્પ્રોમાઈઝ કરતા શીખો, આપણી ઈચ્છાશક્તિ કાબુમાં રહેશે. 24. હંમેશા કામ વગરનો વઘારાનો ખર્ચ ના કરો. મન પ્રફુલિત રહેશે. 25. હંમેશા શંકા અને સંદેહને સ્થગિત રાખો, વિશ્વાસ અને શ્રદ્ધા થી જીવન જીવતા આવડી જશે. 26. છાશ નું સેવન કરવું મૂત્ર રોગ, ઝાડા, ઉલ્ટી નહિ થાય. 27. અજાણતા કંઈક ભૂલ થઈ જાય તો માફી માંગતા શીખો. તમારું માન અને સમ્માન વઘશે.

જો તમે પણ આટલી વસ્તુ જીવનમાં કરતા શીખી જશો તો આપણે હંમેશા સ્વસ્થ રહીશું. અને આપણી આસપાસ ના લોકોને પણ આપણે રાજી અને ખુશ રાખી શકીશું.અને આપણા શરીરમાં કોઈ નાના મોટા રોગ આવતા પણ અટકી જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *