આજના સમયમાં દરેક લોકો સુંદર દેખાવા માંગે છે. આજના જુવાન છોકરા અને છોકરીઓ તો પોતાના મિત્રો કરતા કેવી રીતે હું વધુ સુંદર દેખાઈ શકુ તેના માટે જુદા જુદા પ્રયોગો કરતા હોય છે. જુવાન છોકરા અને છોકરીઓની સાથે સાથે હવે તો મોટી ઉંમરના લોકો પણ સુંદર દેખાવા માટે જુદી જુદી બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

સુંદર દેખાવું બધા લોકોનું સ્વપ્ન હોય છે પરંતુ ત્વચા સંબંધીત સમસ્યાઓના કારણે ઘણા લોકો સુંદર દેખાઈ શકતા નથી. ત્વચા સબંધિત સમસ્યાઓ કોઈ પણ ઉમેરતી વ્યક્તિને થઇ શકે છે. ત્વચા પર પ્રદૂષણ, તડકો, પોષણનો અભાવ વગેરે કારણોના લીધે નાની ઉંમરે જ ત્વચા પર ડાઘ, ખીલ, કરચલીઓ દેખાવા લાગે છે.

જ્યારે ચહેરા પર આવી સમસ્યાઓ થવા લાગે છે ત્યારે તમે ઉંમર નાની હોવા છતાં વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગો છો. જો તમને પણ ત્વચા સંબંધિત સમસ્યા હોય અને તમે તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો આજે અમે તમને જણાવીએ એવા કેટલાક ઉપાયો જે ચહેરા પરની કરચલીઓ, ખીલ અને કાળા ડાઘ દુર કરવાનું કામ કરે છે.

ઉપાય 1:  એક બાઉલમાં એક મીડીયમ સાઈઝના લીંબુનો રસ લેવો અને તેમાં 2 ચમચી મધ ઉમેરો. આ બંને ને સારી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણને ત્વચા પર લગાવો. 10 થી 15 મિનિટ આ મિશ્રણને ત્વચં પર રહેવા દો. ત્યારબાદ તમારા ચહેરાને હુંફાળા ગરમ પાણીથી સાફ કરો. આ પ્રયોગને થોડા દિવસ કરશો એટલે તમને ત્વચામાં ફેરફાર જોવા મળશે.

અહીંયા ઉપયોગમાં લેવામાં આવતા લીંબુમાં બ્લીચિંગના ગુણ હોય છે જયારે મધ ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખે છે. તમને જણાવીએ કે લીંબુ અને મધનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓની સમસ્યા દુર થાય છે. લીંબુમાં વિટામીન સી પણ હોય છે જે ત્વચાને સનટેનથી બચાવે છે.

ઉપાય 2:  ત્વચા સબંધિત સમસ્યાઓથી છુટકાળો મેળવવા માટે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી મધ મિક્સ કરી ચહેરા પર લગાવો અને તેને 10 થી 12 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડીયામાં 2 વખત કરવાથી ચહેરા પરની કરચલીઓ દુર થાય છે.

આ પ્રયોગમાં ઉપયોગમાં લેવાતા એલોવેરા ત્વચા સબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ગુણકારી છે. આ પ્રયોગથી ત્વચા પરના ડાર્ક સર્કલ અને કરચલીઓ દુર થાય છે અને સાથે જ તેનાથી ત્વચામાં પીએચ લેવલ જળવાઈ રહે છે. જો તમારી ત્વચા ઓઈલી થઇ જતી હોય તો તમારા માટે આ પ્રયોગ ખુબજ ફાયદાકારક છે.

ઉપાય 3: શાકભાજીમાં ઉપયોગમાં આવતી કાકડી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. કાકડી ત્વચા પરની કચરલીઓ, બળતરા, ખીલ અને સોજો દુર કરે છે. કાકડીનો પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ કાકડીનો રસ કાઢી તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.

હવે તેને 10 થી 12 મિનિટ ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ તમારા ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરો. આ મિશ્રણને દર બે દિવસે ચહેરા પર લગાવો. થોડાજ દિવસોમાં તમને રિઝલ્ટ જોવા મળશે.

ઉપાય 4: ચંદનનો ઉપયોગ પણ ત્વચા માટે ગુણકારી છે. ચંદન ત્વચાને કુદરતી રીતે સ્વચ્છ રાખે છે. ત્વચા સબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે 2 ચમચી ચંદન પાવડરમાં ગુલાબજળ ઉમેરી તેને મિક્સ કરો. હવે બનાવેલી આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો. આ પ્રયોગ કરવાથી ચહેરાની કરચલીઓ દુર થાય છે.

જો તમે પણ ત્વચાની સમસ્યાઓથી પરેશાન થઇ ગયા હોય તો અહીંયા જણાવેલ ઉપાયો જરૂર કરો. માહિતી સારી લાગે તો આગળ મોકલો અને આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *