આપણે જાણીએ છીએ કે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. હોઠ ફાટવા લાગે છે, ઘણી વાર હોઠમાંથી લોહી નીકળવા લાગે છે. જેના કારણે ચહેરાની સુંદરતા જતી રહે છે. આ ઉપરાંત બજારમાં ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સના ઉપયોગને કારણે પણ ચહેરાનો રંગ ફિક્કો પડી જાય છે.
જો તમે પણ શિયાળામાં ત્વચાની સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ અને ગુલાબી ચહેરા હોવા માંગતા હોય તો રોજ રાત્રે સૂતા પહેલા કેટલાક વસ્તુઓથી ચહેરા પર મસાજ કરો. આ વસ્તુઓ ત્વચાની સુંદરતામાં વધારાની ચમક ઉમેરે છે. તો આવો જાણીએ વધુ માહિતી.
એલોવેરાથી ત્વચાની મસાજ કરો : એલોવેરામાં વિટામિન A, B1, B2, B3 અને B6, C, E, ફોલિક એસિડ, કોલિન, આયર્ન, પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, ક્રોમિયમ, સેલેનિયમ, સોડિયમ અને મેંગેનીઝ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો સારી માત્રામાં છે.
આરોગ્ય અને સુંદરતા બંને માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલથી તમારા ચહેરાની 5 મિનિટ મસાજ કરો. તેનાથી ચહેરા પર વધારાનો કુદરતી ગ્લો આવે છે. તેની સાથે જ શિયાળામાં ત્વચાની બધી જ સમસ્યાઓથ દૂર થઈ જાય છે. સૌંદર્ય નિષ્ણાતોના મતે, એલોવેરા જેલ ડાર્ક સર્કલ અને ફ્રીકલ્સની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
નાળિયેર તેલથી ત્વચાની માલિશ કરો : આયુર્વેદમાં નારિયેળ તેલનો ઉપયોગ દવા તરીકે થાય છે. તેમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે જે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને શુદ્ધ નારિયેળ તેલ ત્વચા અને વાળ માટે રામબાણ સાબિત થાય છે.
આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલથી ચહેરા પર 5 થી 10 મિનિટ માલિશ કરવું ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. તેની સાથે ચહેરાના ડાઘ-ધબ્બા અને ફોલ્લીઓ પણ દૂર થાય છે.
મધ સાથે ત્વચાની માલિશ કરો : મધ સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ ફાયદાકારક છે જેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. મધમાં નિયાસિન, વિટામિન બી6, વિટામિન સી કાર્બોહાઇડ્રેટ્સ, રિબોફ્લેવિન અને એમિનો એસિડ હોય છે, જે સ્થૂળતા, ડાયાબિટીસ સહિત અન્ય ઘણી નાની મોટી બીમારીઓમાં ફાયદાકારક છે.
એન્ટિબાયોટિક ગુણધર્મો ચેપને રોકવામાં મધ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા મધથી ચહેરા પર સારી રીતે મસાજ કરી શકો છો. ત્યાર બાદ સામાન્ય પાણીથી તમારો ચહેરો ધોઈ લો. આમ કરવાથી ત્વચાની કુદરતી સુંદરતા જળવાઈ રહે છે.