આજના સમયમાં દરેક વ્યક્તિની બદલાયેલી જીવનશૈલીના કારણે તે પોતાના પર પૂરતું ઘ્યાન નથી આપી શકતા. અત્યારે દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત લાઈફમાં હોય છે. જેના કારણે તે પોતાની ખાણી-પીણી પર પૂરતું ઘ્યાન નથી આપી શકતા. જેના કારણે તે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંઘી ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

ઘણા લોકોને અત્યારે પોતાની અનિયમિત ખાણી-પીણી ના કારણે કબજિયાત ની સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યામાં વઘારો થઈ રહીયો છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે પેટને લગતી અનેક સમસ્યા ને દૂર કરી શકશો.

1. વઘારે તેલ વાળું અને તીખું ખાવાનું ટાળો: અત્યારે દરેક વ્યક્તિ તરેલું અને તીખું મસાલેદાર ખાવાના શોખીન હોય છે. પરંતુ તે નથી જાણતા કે વઘારે તીખું અને તરેલું ખાવાથી જઠરમાં રહેલ ખોરાક આસાનીથી પચતો નથી. માટે કબજિયાતની સમસ્યાથી પરેશાન થઈ ગયા હોય તો આ આદતને બદલવી જોઈએ.

2. લીંબુ અને આદું: પેટને સાફ રાખવા માટે આદુ અને લીંબુ અસરકારક છે. માટે આદુનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. જમ્યાના એક કે બે કલાક પછી આનું સેવન કરવું જોઈએ.

3. શાકભાજી અને ફળોનું સેવન કરવું: આપણા સ્વાસ્થ્ય માટે શાકભાજી અને ફળોનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. માટે લીલા શાકભાજીનું સેવન દરરોજ કરવું જોઈએ અને દિવસમાં એક વાર કોઈ પણ એક ફળનું સેવન કરવું ફાયદાકારક છે.

4. પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી: આખો દિવસ ગમે તેટલું કામ કરો છો તો પણ દિવસમાં પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. ઓછામાં ઓછી 7-8 કલાક ની ઊંઘ લેવી ખુબજ જરૂરી છે. જેથી સવારે તમારું પેટ સાફ થઈ શકે. આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવાથી શરીરમાં થાક અને નબળાઈ બંને દૂર રહે છે.

5. સતત બેસી ના રહેવું: જો તમારે કોઈ પણ કામ કરવા માટે સતત બેસી રહેવું પડતું હોય તો પણ કબજિયાત ની સમસ્યા રહેતી હોય છે. માટે જો બેસીને કામ કરવું પડતું હોય તો થોડા થોડા સમયે ચાલતા રહેવું જરૂરી છે. જેથી ખાઘેલ ખોરાક આસાનીથી પછી જાય છે.

6. પાણીનું સેવન: ઘણી વખત સતત કામ કરવામાં ઘણા લોકો પાણી પીવાનું ભૂલી જ જતા હોય છે. જો શરીરમાં પાણી પાણીની ઉણપ રહેતી હોય તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે. માટે દિવસ દરમ્યાન ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવું જોઈએ.

7. બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો: બહારના ફાસ્ટ ફૂડ ખાવાથી કબજિયાતની સમસ્યા વઘારે થઈ શકે છે. કારણકે તેમાં વપરાતા તેલ અને મસાલા ના કારણે તે તમારા પાચનતંત્ર ને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે.

8. યોગા અને કસરત: દરરોજ સવારે ઉઠીને નિયત પણે યોગા અને કસરત કરવી જોઈએ. કારણકે યોગ કે કસરત કરવાથી પેટમાં જમા થયેલ ગંદકી દૂર થશે અને પેટને સાફ રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત યોગ અને કસરત કરવાથી અનેક બીમારીમાંથી બચવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *