અળસી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અળસીમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે, અળસીને ભોજન પછી ખવામાં આવે છે અળસીનું સેવન ભોજન પછી એક ચમચી ખાવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે.

સારું સ્વાસ્થ્ય દરેક વ્યક્તિને ગમે છે પરંતુ શરીરમાં કોઈ બીમારી આવે ત્યારે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. અનેક બીમારીઓથી બચવા માટે રોજે એક બે ચમચી મુખવાસમાં અળસીનું સેવન કરવું જોઈએ.

અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે જેને આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. અળસીનું નિયમિત સેવન કરવાથી સાંધા ના દુખાવા રહેતા હોય તેવા લોકો માટે અળસી ખુબ જ ફાયદાકારક છે.

અળસીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમકે, કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, પ્રોટીન, આયર્ન, મેંગેનીઝ, વિટામિન-કે, ફોસ્ફરસ, ફોલેટ, વિટામિન-સી, વિટામિન-ઈ, વિટામિન-એ, વિટામિન- બી6 જેવા તત્વો નો સારો સ્ત્રોત મળી આવે છે.

શરીરને હંમેશા માટે સ્વસ્થ અનેં હેલ્ધી બનાવી રાખવું હોય તો બપોર અને રાત્રીના ભોજન પછી એક એક ચમચી ખાઈ લેવી જોઈએ. અળસી માં ઘણા બધા અસરકારક ગુણધર્મો મળી આવે છે જે શરીરને અનેક રોગો માંથી છુટકાળો મેળવી શકાય છે.

અળસીનું સેવન કરવાથી થતા ફાયદા:
પાચનક્રિયા વધારે: ભોજન કર્યા પછી બરાબર ના પચવાના કારણે પાચનક્રિયા ધીમી પડી જતી હોય છે. માટે ફાયબર થી ભરપૂર અળસીને ભોજન પછી એક ચમચી મુખવાસ રૂપે ખાવી જોઈએ જે મંદ પડી ગયેલ પાચનક્રિયાને વધારવામાં મદદ કરે છે.

ચરબી ઓછી કરે: અળસી વજન ને નિયત્રંણમાં લાવવા માટે ઉપયોગી છે, તેનું નિયમિત પણે સેવન કરવાથી મેટાબોલિઝમ રેતમાં વધારો કરે છે.જેના કારણે વધી ગયેલ ચરબી ની ફાંદ ને ઓગળાવમાં મદદ કરે છે. જેથી વજન પણ ધીમી ઓછું થવા લાગે છે.

ચહેરાને નિખારે: તેનું નિયમિત પણે સેવન કરવાથી રક્ત પ્રવાહ વધે છે અને લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરે છે, જેના પરિણામે ચહેરા પરની ખોવાઈ ગયેલ સુંદરતામાં સુધારો થાય છે અને નેચરલી રીતે ચહેરાને નિખારે છે. માટે દરેક મહિલાઓ માટે અળસી ખુબ જ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે: તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે વાયરલ ઇન્ફેક્શન ના શિકારથી બચાવી રાખે છે જેના કારણે શરીરમાં રહેલ બધા જ કીટાણુઓનો નાશ કરીને શરીરમાં રોગપ્રરતિકારક શક્તિમાં વધારો કરે છે.

વાળને હેલ્ધી બનાવે: તેમાં મળી આવતું વિટામિન-ઈ વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. માટે નિયમિત પાને અળસીનું સેવન કરવાથી જરૂરી પોષક તત્વોની કમી પુરી કરે છે અને વાળને હેલ્ધી અને મજબૂત બનાવે છે જે વાળને લગતી અનેક સમસ્યાથી બચાવી રાખે છે.

અળસી માં મળી આવતું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે જેથી હાડકાને લગતી તક્લીફથી બચાવે છે. અળસીનું સેવન કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. તેનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ વધુ પ્રમાણમાં કોઈ પણ વસ્તુનું સેવન ના જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *