આપણા રસોડામાં રહેલ મોટાભાગના મસાલા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. રસોડામાં રહેલ મસાલાનો ઉપયોગ કરીને ઘણીં બીમારીનો ઈલાજ પણ કરી શકાય છે.

રસોડાના મસાલા આયુર્વેદિક ઉપચાર માં ખુબ જ ઉપયોગી છે. કારણકે રસોડામાં ઉપયોગ થતા દરેક મસાલામાં ઔષઘીય ગુણો મળી આવે છે. જે નાની મોટી અનેક બીમારીને દૂર કરવામાં માટે ઘરેલુ ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

આજે અમે તમને રસોડામાં રહેલ એક એવા મસાલા વિશે વાત કરીશું જેનો ઉપયોગ કરવાથી શરીરમાં મોટાભાગની બીમારીને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રસોડાના મસાલામાં મળી આવતી તે વસ્તુનું નામ અજમો છે.

જો રસોઈમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તે આહાર ખુબ જ સ્વાદિષ્ટ બંને છે. આ ઉપરાંત તે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. માટે અજમાને રોજિંદા આહારમાં પણ સમાવેશ કરી શકાય છે. હવે અજમાના ફાયદા વિશે જણાવીશું.

અજમાનો ઉપયોગ કરવાથી શરદી, ઉઘરસ, પેશાબમાં ઈન્ફેક્શન, કબજિયાતમ અપચો, વજન ઘટાડવા, મોંની દુર્ગઘ જેવી અનેક બીમારીને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. અજમાનો ઉપયોગ ગરમ પાણી સાથે કરવાનો છે.

અજમાનું પાણી બનાવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને એક પેનમાં ગરમ કરવા મૂકો, ત્યાર પછી તેમાં એક ચમચી અજમો મિક્સ કરીને ઉકાળો, ત્યાર પછી બે થી ત્રણ મિનિટ થાય ત્યારે પાણીને નીચે ઉતારીને એક ગ્લાસ માં ગાળી લેવું, હવે તે પાણી થોડું ઠંડુ થાય ત્યારે પીં જવું. આ પીણાંનું સેવન રાત્રે સુવાના એક કલાક પહેલા પી લેવાનું છે.

પેશાબમાં બળતરા: અજમાની અંદર બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે. ઘણા લોકોને પેશાબમાં ઈન્ફેક્શન થવાની સમસ્યા હોય છે જેના કારણે તેમને પેશાબ કરતા બળતરા થતી હોય છે. માટે જો યુરિન ઈન્ફેક્શન હોય તો અજમાના પાણીનું સેવન કરવાથી પેશાબમાં થતી બળતરા દૂર થાય છે.

પેટના રોગ: ઘણા લોકો ગેસ, કબજિયાત, અપચો ની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે. આપણે ખાઘેલ ખોરાક ના પચે તો પેટની બીમારી થઈ શકે છે. માટે અજમાના પાણીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પાચનક્રિયા મન સુઘારો થાય છે. જેથી કબજીયાત, અપચો, ગેસની સમસ્યા દૂર થઈ જશે.

પેટનો દુખાવો: પેટ દુખાવામાં અજમો ખુબ જ અસરકારક સાબિત થાય છે. જો પેટમાં વારે વારે દુખાવો થતો હોય તો અજમાના પાણીનું સેવન કરવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે.

વજન ઘટાડવા: ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. તેમના માટે અજમાનું પાણી ખુબ જ ફાયદાકારક છે. જો આ પાણીનું નિયમિત પણે સેવન કરવામાં આવે તો પેટની વઘેલ ચરબીને ઓગાળવા અને વજન ને ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. માટે વજન ધટાડવા માટે પ્રયત્ન કરતા હોય તો આ પીણું રામબાણ સાબિત થશે.

મોંની દુર્ગઘ દૂર કરે: આમ તો ઘણા લોકો બોલે તો તેમના મોં માંથી વાસ આવતી હોય છે. તેમને આ પાણી નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત અજમાની અંદર હળદર મિક્સ કરીને શેકીને મુખવાસમાં ખાવાથી મોં આવતી વાસ દૂર થઈ જાય છે.

શરદી અને ઉઘરસ: વાતાવરણમાં થતા બદલાવના કારણે શરદી અને ઉઘરસ થઈ જતી હોય છે તેમને અજમાના પાણીનું સેવન કરવાથી પણ ઘણી રાહત મળે છે. અજમાના પાણીનું સેવન કરવાથી ગળામાં જામેલ કફને છૂટો પડે છે અને ઉઘરસમાં રાહત થાય છે. જો શરદી હોય તો અજમો અને કપૂર ને એક કપડામાં વીંટીને સુગવાથી શરદી મટે છે.

અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *