આજની આધુનિક ટેક્નોલોજી યુગમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે. દરેક વ્યક્તિ જાણે જ છે કે બેઠાળુ જીવન હોવાના કારણે શરીરમાં ઘણી બઘી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આ માટે બેઠાળુ જીવન હોવાના કારણે કમર અને સંધિવાના દુખાવા વધુ જોવા મળતા હોય છે. જે દુખાવા શરીરને કમજોર પાડે છે, આજના સમયમાં કમરના દુખાવા 55-60 વર્ષની ઉંમર પછી જોવા મળતા હતા.
પરંતુ આજની યુવા પેઢીમાં પણ આ સમસ્યા થવા લાગી છે, જેના કારણે કોઈ પણ કરવામાં ઉઠવા બેસવા માં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. માટે આજે અમે તમને કમર અને સંધિવાના થતા દુખાવામાં રાહત મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
કમર અને સંધિવામાં લીમડો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે ગાયના દૂઘમાં અડઘી ચમચી લીમડાનો રસ મિક્સ કરીને પીવાથી સંધિવાના અને કમરના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળે છે.
વા જેવી સમસ્યા હોય તો લીમડાનું તેલ હાથ પગમાં લગાવાથી વા ના કારણે સાંધા જકડાઈ ગયા હોય તો તે ખુલી જાય છે અને દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળે છે. વા માં લીમડાનું તેલ ખુબ જ અસરકારક છે.
જાયફળ કમરના અસહ્ય દુખાવોમાં ખુબ જ ઝડપથી આરામ આપે છે. આ માટે સૌથી પહેલા એક સરસવનું તેલ લઈ લો હવે તે તેલમાં જાયફળને પીસીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને કમર ના દુખાવા વાળા ભાગમાં લગાવી દો, થોડા જ સમયમાં દુખાવો ગાયબ થઈ જશે.
કમરના દુખાવા અજમો પણ ખુબ જ અસર કરે છે, તેમાં બળતરા વિરોઘી ગુણ મળી આવે છે જે આ માટે સૌથી પહેલા 150 ગ્રામ અજમો મિક્સરમાં પીસી ચૂર્ણ પાવડર તૈયાર કરો. ત્યાર પછી દરરોજ સવારે 5 ગ્રામ ચૂરણમાં એક દેશી ગોળનો નાનો ટુકડો ખાઈ જવાનો છે.
આમ સવારે આજે સાંજે બંને સમય કરવાથી 5-7 દિવસમાં કમરના ગમે તેવા દુખાવામાં આરામ આપશે. તમે પણ વા, સંધિવા અને કમરના દુખાવા થી પરેશાન છો તો આ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.