શરીરમાં યુરિક એસિડ વધવાને કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે કિડની યુરિક એસિડને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. એટલું જ નહીં, સાંધામાં યુરિક એસિડ જમા થાય છે. જેનાથી આર્થરાઈટીસ થઇ જાય છે. અને પગમાં સોજો આવે છે.

જો શરીરમાં પ્યુરિનનું યોગ્ય રીતે પાચન ન થાય તો યુરિક એસિડનું સ્તર વધી જાય છે. તેને ઘટાડવા માટે આહારમાં ફેરફાર કરવામાં આવે છે. અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જે યુરિક એસિડને ઓછું કરી શકે છે. તો ચાલો જાણીએ કે યુરિક એસિડ ઘટાડવા માટે અખરોટનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

યુરિક એસિડ ઘટાડવા માટે અખરોટ: અખરોટમાં ઓમેગા-3નું પ્રમાણ વધુ હોય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો તેમજ વિટામિન B6, કોપર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો અને ખનિજો પણ છે. અખરોટમાં સ્વસ્થ પ્રોટીન પણ હોય છે જે યુરિક એસિડને કારણે થતા સંધિવાને ઘટાડે છે.

જે ઘૂંટણમાં બનેલા યુરિક એસિડ ક્રિસ્ટલ્સને ઘટાડવામાં પણ મદદરૂપ છે. આ કારણોસર, અખરોટ એ યુરિક એસિડ આહારમાં સામેલ કરવા માટે એક સારો ખોરાક છે.

અખરોટને ક્યારે અને કેવી રીતે ખાવી: દરરોજ 2 થી 3 અખરોટ ખાવાથી યુરિક એસિડને ઓછું કરવામાં મદદ મળે છે. અખરોટને સલાડમાં સામેલ કરી શકાય છે અથવા સ્મૂધી અને શેક સાથે ખાઈ શકાય છે. કેટલાક લોકોને આખી રાત અખરોટ પલાળી રાખવાનું ગમે છે.

અખરોટ ખાવાના ફાયદા: અખરોટ હાડકાંને મજબૂત કરે છે, હૃદય માટે ફાયદાકારક છે, મગજને તેજ કરે, ડાયાબિટીસ પર અસરકારક સાબિત થાય, સારું પાચન, તણાવ દૂર કરવામાં ઉપયોગી, વજન ઘટાડવા માટે પણ ઉપયોગી, કબજિયાતની સમસ્યા દૂર કરે, સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

શરીર માટે અખરોટના અન્ય ફાયદા: અખરોટ ખાવાથી શરીરમાં યુરિક એસિડ ઘટે છે સાથે જ અન્ય ઘણા ફાયદા પણ થાય છે. તેનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. મગજને ઝડપી બનાવે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તણાવ ઓછો કરે છે અને વજન ઘટાડવા માટે પણ ખૂબ અસરકારક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *