આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે બઘા રોગોથી દૂર રહેવા ઈચ્છતા હોય છે. પરંતુ આપણી ભાગદોડ ભરી જીવન શૈલીમાં આપણે આપણા શરીરનું પૂરતું ઘ્યાન નથી આપતા જેના કારણે આપણે અનેક રોગના શિકાર બની જઈએ છીએ.

આપણા શરીરમાં અમુક એવા રોગો થઈ જતા હોય છે જે મોતને આવકારવા બરાબર થઈ જાય છે. દરેક લોકો જાણે છે કે આજના યુગમાં કોઈ પણ ઉંમરમાં હાર્ટ અટેક, ડાયાબિટીસ, વઘારે પડતું વજન જેવી ગંભીર બીમારીના શિકાર થઈ જતા હોય છે. જે ખતરનાક રોગ છે.

આપણા શરીરમાં બીમારીઓ ઘર કરી જાય ત્યારે તેના થી છુટકાળો મેળવવો હોય તો પણ તેનાથી છુટકાળો મેળવી નથી શકતા. માટે તે બીમારીને નિયંત્રણમાં લાવવી ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને આવી બીમારીમાંથી બચવા અને તેને કંટ્રોલમાં રાખવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું.

આવી ખતરનાક અને ગંભીર બીમારીમાંથી બચવા માટે દરેક વ્યક્તિએ અખરોટનું સેવન કરવું જોઈએ. અખરોટ ડ્રાયફ્રૂટનો સૂકો મેવો છે. જેમાં ફાયબર, વિટામિન, ખનીજ તત્વો મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે. જે મોટી બીમાંરીને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે.

અખરોટનું નિયમિત પણે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી આપણું મગજ તેજ થાય છે કારણકે તેની રચના આપણા મગજ જેવી છે જે આપણા મગજને સ્વસ્થ રાખે છે. તો ચાલો જાણીએ અખરોટનું સેવન કરવાથી કયાં રોગ ફાયદો થાય છે તેના વિશે જણાવીશું.

વજન ઘટાડે: અત્યારે ઘણા લોકો પોતાનો ખાવાનો સમય ફિક્સ નથી હોતો અને ગમે તે ટાઈમે ગમે તે ખોરાક ખાઈ લેતા હોય છે જેના કારણે તેમના વજન અને ચરબીમાં વધારો થાય છે. આજના સમયમાં ઘણા લોકોને વજન વઘારે હોવાના કારણે તે ખુબ જ ચિંતિત થઈ જતા હોય છે. પરંતુ જો તે વ્યક્તિ દરરોજ અખરોટનું સેવન કરવાનું શરુ કરી દે તો તેમની ચિંતા દૂર થઈ શકે છે.

અખરોટનું સેવન કરવાથી ભૂખ લાગવામાં ઘટાડો થાય છે. માટે દરરોજ રાત્રે 3 થી ચાર અખરોટને પાણીમાં પલાળીને મૂકી રાખવી અને તે અખરોટને સવારે ઉઠીને ખાલી પેટ ખાઈ લેવાની છે. એવું એક મહિનો સતત કરવથી પેટની ચરબી અને વજન બંને કંટ્રોલમાં આવી જશે.

ડાયાબિટીસ: આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે ટાઈપ-2 ડાયબિટીસ ને કંટ્રોલમાં લાવવા માટે અખરોટ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસનું જોખમ વઘારે ચરબી અને વજન વઘારે હોવાના કારણે સુગર લેવલમાં વઘારો થતો હોય છે. માટે અખરોટનું સેવન ખુબ જ ફાયદાકારક છે. માટે સુગર લેવલને કંટ્રોલમાં લાવવા માટે સતત ત્રણ મહિના પલાળેલી અખરોટનું સેવન કરવું જોઈએ.

આ માટે ત્રણ અખરોટને રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળીને સવારે ઉઠીને તેને ચાવીને ચાવીને ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અને દરરોજ તેનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ નહિવત થઈ જાય છે. માટે ડાયાબિટીસ દર્દી માટે અખરોટનું સેવન લાભદાયક સાબિત થશે.

બ્લડપ્રેશર: હાઈ બ્લડ પ્રેશર અત્યારે નાના મોટા દરેક વ્યક્તિ થઈ જાય છે. જે ખુબ જ ખતરનાક બીમારી છે. હદયને લગતી બીમારીથી બચવા માટે અખરોટનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. માટે દરરોજ બે અખરોટનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને હાર્ટ ને લગતી અનેક સમસ્યા દૂર થાય છે.

અખરોટનું સેવન કરવાથી લોહીને ઝડપથી વહેવામાં મદદ કરે છે. માટે દરરોજ રાત્રે પાણીમાં બે અખરોટને પલાળીને સવારે તેને ખાવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. અખરોટનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે અને અનેક મોટી બીમારી બચાવવામાં મદદ કરે છે.

જો તમારું વજન અને પેટની ચરબી વઘારે હશે તો તેના કારણે શરીરમાં અનેક રોગો થવાનું જોખમ રહેતું હોય છે. માટે આપણા આપણી જીવન શૈલીમાં બદલાવ લાવવા જરૂરી છે. જો તમને ઉપર જણાવ્યા અનુસાર કોઈ બીમારી હોય તો ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. કારણે દરેક વ્યક્તિની તાસીર અનુસાર અમુક નુસખા કામ કરતા હોય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *