આજના સમયમાં ખુબ જ વઘારે પ્રદુષણ વાળું વાતાવરણ હોય છે. જેના કારણે ઘણી બીમારીનું જોખમ પણ વઘી જાય છે. એવામાં હવે તો લગ્ન સીઝન પણ ચાલુ થવા જઈ રહી છે. એવામાં ઘણા લોકો સુંદર દેખાવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે.
અત્યારે ઘણા લોકોને વાળને લગતી અનેક સમસ્યા થવાનું જોખમ પણ વધી રહ્યું છે. પ્રદુષણ વાળા વાતાવરણ અને આપણા અનિયમિત ખાણી પીણીના કારણે વાળને લગતી સમસ્યા જેવી કે વાળ ખરવા, નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યા રહેતી હોય છે.
પરંતુ જો કોઈને પણ લગ્ન પ્રસંગ માં જવાનું હોય કે કયાંક બહાર જવાનું હોય તો સફેદ વાળને કાળા કરવા માટે બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટ ડાઈ કે કલરનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો બ્યુટી પાર્લરમાં જઈને પણ વાળને કાળા કરાવતા હોય છે.
પરંતુ બજારુ કેમિકલ યુક્ત બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર મહેંદી પાવડરના આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં અને વાળના મૂળમાં લગાવી દેવામાં આવે તો વાળ મૂળમાંથી કાળા અને ચમકદાર બની જાય છે.
મહેંદી માં આપણે આમળાંનો પાવડર મિક્સ કરીને હેરપેક તૈયાર કરવાનો છે જે વાળને કાળા, સુંદર, અને ખરતા અટકાવી દેશે. તો ચાલો જાણીએ વાળને કાળા કરવા માટે ઘરે જ મહેંદીનો હેરપેક કેવી રીતે બનાવવો તેના વિશે જણાવીશું.
મહેંદી હેરપેક બનાવવાની રીતે: સૌથી પહેલા એક લોખંડનું વાસણ લઈ લેવું. લોખંડના વાસણમાં મહેંદી હેરપેક બનાવાથી મહેંદી ની કલર ખુબ જ સારો આવે છે. હવે તે લોખંડના વાસણમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે ગેસ પર મુકો અને તેમાં ચાર ચમચી આમળાં પાવડર નાખીને ઉકાળવા દો, પછી તેને નીચે ઉતારીને ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ચાર ચમચી હર્બલ મહેંદી પાવડર નાખવાની છે.
હવે તેમાં એક ચમચી ભૂંગરાજ પાવડર, એક ચમચી શિકાકાઈ પાવડર,એક ચમચી ગુલમહોર પાવડર બઘાને બરાબર મિક્સ કરીને પલાળીને ચાર થી પાંચ કલાક રહેવા દો. ત્યાર પછી તે મહેંદીના હેરપેકને માથાના વાળમાં અને વાળના મૂળમાં બરાબર લાગવાનું છે.
માથામાં આ મહેંદીનો હેરપેક લગાવ્યા પહેલા માથાના વાળને બરાબર ઘોઈ દેવા, ત્યાર પછી વાળ કોરા થઈ જાય પછી જ મહેંદીનો હેરપેક વાળમાં અને વાળના મૂળમાં લગાવી દો. ત્રણ થી ચાર કલાક પછી વાળને ઘોઈ દેવા. વાળને ઘોવા માટે શેમ્પુનો ઉપયોગ ના કરવો. વાળને ઘોવા માટે ઠંડા સાદા પાણીનો જ ઉપયોગ કરવો. ફ્રિઝના પાણીનો ઉપયોગ ના કરવો.
વાળને ઘોઈ લીઘા પછી રાત્રે સુતા પહેલા વાળમાં અને વાળના મૂળમાં સારી રીતે તેલથી માલિશ કરી લો. ત્યાર પછી બીજા કે ત્રીજા દિવસે વાળને શેમ્પુની મદદથી ઘોઈ શકો છો. આ મહેંદીના હેરપેકનો ઉપયોગ 10 દિવસમાં એક વખત કરવો. આ મહેંદી હેરપેકનો ઉપયોગ કરવાથી વાળ નેચરલી કાળા થઈ જશે.
તેમાં રહેલ આમળાં પાવડર વાળને પૂરતું પોષણ પૂરું પડે છે. જે વાળને કાળા, લાંબા બનાવે છે. તેમાં રહેલ ભૂંગરાજ પાવડર વાળને સોફ્ટ, સિલ્કી અને ખરતા અટકાવે છે. શિકાકાઈ પાવડર અને ગુલમ્હોર પાવડર વાળને મજબૂતી આપે છે અને વાળને મૂળમાંથી કાળા, અને સાઈનિંગ બનાવવામાં મદદ કરે છે.
જો તમારે વાળને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર નેચરલી રીતે વાળને કાળા કરવા હોય તો આ ઉપાયનો ઉપયોગ એક વખત જરૂર કરવો જોઈએ. જેથી તમારા વાળ કાળા, લાંબા, સિલ્કી અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.