મિત્રો આજના આધુનિક સમયમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં કોમ્પ્યુટર અને મોબાઇલ સ્ક્રીન પર સમય પસાર કરી રહ્યા છે જેના લીધે આંખના નંબરનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિને આંખના નંબર આવી જાય છે તો તેને જીવે ત્યાં સુધી ચશ્મા પહેરવા પડતા હોય છે.
આંખના નંબર આવી જવા આ સમસ્યા પહેલાના સમયમાં મોટી ઉંમરના લોકોમાં જોવા મળતી હતી પરંતુ આજના સમયમાં નાના બાળકોને પણ આંખના નંબર હોવાનું સામે આવ્યું છે. અત્યારે આંખના નંબર દૂર કરવા માટે ઓપરેશન પણ ઘણા લોકો કરાવે છે પરંતુ તે, ખૂબ જ ખર્ચાળ હોય છે જે બધા લોકો કરાવી શકતા નથી.
આવી સ્થિતિમાં જો તમારી આંખમાં નંબર છે અને તમે ચશ્મા પહેરો છો તો તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવીને પોતાના આંખના નંબરથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાય કરવાથી તમારે ક્યારેય ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી. તો આવો જાણીએ કે આંખોના નંબર દૂર કરવા માટે તમારે કયો ઘરેલુ ઉપાય કરવો જોઈએ.
આ ઉપાય માટે સૌથી પહેલા એક ચૂર્ણ બનાવવાનું પડશે. આ ચૂર્ણ બનાવવા માટે તમારે 3 વસ્તુની જરૂર પડશે જેમાં વરિયાળી, બદામ અને સાંકળનો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુ 60-60 ગ્રામ સરખી માત્રામાં લેવાની છે અને ત્રણેયને મિક્સ કરીને બારીક પાવડર બનાવી લેવાનો છે.
હવે આ પાવડરને ઘરમાં રહેલી કોઈ પણ કાચની બોટલમાં ભરીને સવારે – સાંજે ગાયના દૂધમાં મિક્સ કરીને લેવાનો રહેશે. જો તમે ઝડપથી પરિણામ મેળવવા માંગો છો તો તમે સવારે બ્રશ કર્યા પહેલા આ ઉપાય કરો. તેનાથી સારું પરિણામ ટૂંકા જ સમયમાં જોવા મળશે.
જો તમે દરરોજ આ ઉપાય કરો છો તો તમારા નંબર માત્ર 30 દિવસમાં ઘણા અંશ સુધી ઓછા થઈ જશે. જે લોકો આ ઉપાય 3 થી 4 મહિના કરશે તેમને ચશ્મા પહેરવાની જરૂર પડશે નહીં અને આંખો એકદમ પહેલા જેવી તેજસ્વી બની જશે.
જો તમારી આંખોના નંબર નથી એટલે કે તમે ચશ્મા પહેરતા નથી અને તમે ભવિષ્યમાં નંબરના ચશ્મા માંગતા નથી તો તમારે આ ચૂર્ણનું સેવન મહિનામાં 7 દિવસ કરવાનું રહેશે, જેનાથી આંખોની કમજોરી દૂર થાય છે અને તમે કોઈપણ વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો.
આ ચૂર્ણની તાસિર ઠંડી હોય છે આથી જો તમને આંખોમાં બળતરા થતી હોય, ખંજવાર આવતી હોય, પાણી આવતું હોય અથવા તો અન્ય કોઈ સમસ્યા થઈ રહી હોય તો પણ આ ચૂર્ણ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ ચૂર્ણ તમારી આંખોને ઠંડક આપવામાં મદદ કરે છે.