આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક સીઝનમાં એવા કેટલાક ફળ મળી આવે છે જેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. ઘણા એવા ફળ પણ મળી આવે છે જે બારેમાસ મળી આવતા હોય છે. તેમાંથી એક ફળ વિષે આજે અમે તમને જણાવીશું.

શરીર સ્વસ્થને સ્વસ્થ અને બીમારી માંથી બહાર નીકળવા માટે ડોક્ટર પણ આ ફળ ખાવાની સલાહ પહેલા આપતા હોય છે. આ માટે બારેમાસ મળી આવતું સફરજન ફળ ખાવું જોઈએ. જે શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રાખવામાં મદદ કરે છે.

સફરજનમાં ઘણા બધા પોષક તત્વો આવેલ છે. જેમ કે, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-બી1, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, ફાયબર તત્વ મળી આવે છે. જે શરીરના દરેક અંગોને જરૂરી પોષક તત્વ પૂર્ણ કરે છે.

સફરજન શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સફરજન ના વધારે ફાયદાઓ મેળવવા માટે તેને છાલ સાથે ખાવું જોઈએ. જેથી તેમાંથી મળી આવતા દરેક ગુણો શરીરને મળી રહેશે. હવે સફરજન ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.

જ્યારે પણ શરીરમાં કમજોરી આવી જાય છે ત્યારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, માટે વિટામિન-સી, આયર્ન થી ભરપૂર સફરજન ખાવું જોઈએ. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગો સામે રક્ષણ આપે છે. એમાં મળી આવતું આયર્ન શરીરમાં લોહીના સ્તરને વધારે છે અને શરીરમાં આવતી કમજોરીને દૂર કરે છે.

વ્યક્તિને હંમેશા માટે નિરોગી રાખવા માટે હૃદય, ફેફસા, લીવર, કિડની જેવા મહત્વ પૂર્ણ અંગોને હેલ્ધી અને કાર્ય સીલ બનાવી રાખવા માટે સફરજન ખાઈ શકાય છે. તે શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદયને મજબૂત બનાવે છે.

માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા જેવી સમસ્યાથી પીડાતા હોય તેવા લોકો માટે સફરજન ખુબ જ લાભદાયક છે, આ ફળ મગજની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને મગજને તેજસ્વી બનાવી સ્વસ્થ અને હેલ્ધી રાખે છે.

આ ફળમાં મળી આવતા પોષક તત્વો આંખોની કમજોરી, આંખોના નંબર આવવા જેવી આંખો સંબધિત સમસ્યાથીઓ બચાવી રાખે છે. વધતી ઉંમરે આંખોમાં ઓછું દેખાવાની સમસ્યાથી બચવા સફરજન ખાવાથી ફાયદાઓ થાય છે.

આ એક શક્તિ શાળી ફળ માનવામાં આવે છે. જે શરીરના દરેક સ્નાયુઓ, માંશપેશીઓ અને હાડકાઓને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. જેથી સાધના દુખાવા, હાડકાના દુખાવા જેવી અનેક તકલીફમાં રાહત આપે છે.

સફરજનમાં સારી માત્રામાં ફાયબર નો સ્ત્રોત મળી આવે છે, જેનું સેવન નિયમિત પણે કરવાથી પેટ ભરેલું લાગે છે અને ભૂખને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે માટે જે વજન ઓછું કરવા માંગતા હોય તેવા લોકો એ આ ફળને આહારમાં સમાવેશ કરવો જોઈએ.

ખરાબ થઇ ગયેલ લોહીને શુદ્ધ કરવા અને લોહીના પરિવહનમાં આવતા અવરોધને દૂર કરવા આ ફળ ખાઈ શકાય છે. શરીરમાં લોહીનું શુદ્ધિકરણ થવાથી ત્વચા સંબધિત રોગોને થતા અટકે છે. તે વૃદ્ધાવસ્થાના ચિન્હો એટલે કે ચહેરા પર પડતી કરચલીને આવતા રોકે છે.

શરીરમાં રહેલ હાનિકારક કચરો દૂર કરવા અને પેટને એકદમ સાફ રાખવા માટે આ ફળને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ ફળ કેન્સર જેવા ખતરનાક રોગોના કોષોને વધતા અટકાવે છે અને કેન્સર સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. આ ફળ તમને બજારમાં ખુબ જ આસાનીથી અને બારેમાસ મળી રહેશે જેનું નિયમિત પાને સેવન કરવાથી દવાખાન નું પગથિયું ચડવું નહીં પડે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *