આજના સમયમાં મોટાભાગે ઘણા લોકોની જીવન શૈલી અને જાણતા અજાણતા કેટલીક બેદરકારી ના કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓ થવાનું નું જોખમ ખુબ જ વધી રહ્યું છે. જેમાં ઘણા લોકો એવી બીમારીના શિકાર પણ થવા લાગ્યા છે જે વધતી ઉંમરે સૌથી વધુ જોવા મળતી હતી.

જે આપણી કેટલીક બેદરકારીના કારણે થતી હોય છે. વધતી ઉંમરે આંખોની કમજોરી અને બહેરાશની સમસ્યા થતી હોય છે પરંતુ અત્યારના સમસ્યામાં આવી સમસ્યા નાની ઉંમરે જોવા મળી રહી છે, અત્યારે વધારે સમય લાંબા સમય સુધી મોબાઈલ જોવાથી અને કાનમાં એરફોન ભરાઈને સાંભરવાથી થતી હોય છે.

આજના સમયમાં દેશમાં એવા કેટલાક લોકો છે જેમને સાંભરવાની અને બહેરાશની સમસ્યા વાળા લોકોની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. આપણા શરીરનું સૌથી નાજુક અંગ કાન છે જેનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પરંતુ ઘણા વર્ષોથી કેટલીક ખરાબ આદતના કારણે સાંભરવાની ક્ષમતા પર અસર થતી જોવા મળી રહી છે.

માટે આ માટે આપણે આપણે કઈ આદત છે જેના કારણે આપણે આ સમસ્યા થઈ શકે છે જેના કારણે સમય પહેલા જ બહેરાશ આવી જતી હોય છે. આ માટે આપણે બહેરા પણા થી દૂર રહેવા માટે અર્પણ કઈ સાવચેતી રાખવી જોઈએ તેના વિષે જણાવીશું.

ધુમ્રપાન કરવાથી સાંભરવામાં અસર થઈ શકે: આપણા શરીર માટે ધુમ્રપાન કરવું ખુબ જ નુકસાનકારક માનવામાં આવે છે. ધુમ્રપાન કરવાથી ફેફસા અને હૃદયની સાથે કાનને પણ નુકસાન પહોંચાડી શકે છે, ધૂમપાનમાં જોવા મળતું નિકોટીન રક્ત પરિભ્રમણ પર અસર પહોંચાડે છે, જેથી કાનની જે કોશિકાઓ હોય છે તેને નુકસાન પહોંચાડી શકે છે. જેથી કાનથી સાંભરવાની સમસ્યા વધી શકે છે. માટે બહેરાશની સમસ્યાથી દૂર રહેવા માટે ધુમ્રપાન કરવાની આદત છોડી દેવી જોઈએ.

ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ: આજના સમયમાં ઈયરફોનનો ઉપયોગ સૌથી વધુ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે, તેવામાં વધારે અવાજ માં ગીતો સંભારવાથી કાનમાં ખુબ જ ઝડપથી અવાજ પહોંચે છે જેથી કાનના પડદા ને નુકસાન થઈ શકે છે. માટે હંમેશા ઈયરફોન નો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી કાનના પડદા પણ સુરક્ષિત રહે અને કાનમાં બહેરાશ થવાની જે સમસ્યા છે તેનાથી બચી શકાય છે.

કાન માટે કોટન ઈયરબડ્સ નુકસાનકારક: ઘણા લોકો કાનને વારંવાર કોટન ઈયરબડ્સથી સાફ કરતા રહો છો, તો તે તમારા કાનને સારી રીતે સાફ તો કરી દે છે પરંતુ ઘણી વખત આ આદત સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. કોટન ઇયરબડ્સનો વધુ પડતો ઉપયોગ અને અજાણતા ઉપયોગ કરવાથી નુકસાનકારક પણ બની શકે છે. આનો વધુ ઉપયોગ કરવાથી કાનના પડદામાં કાણું પડવાની શક્યતા ખુબ જ વધી જાય છે જેના કારણે સંભારવામાં તકલીફ પડી શકે છે. માટે કાન જાતે સાફ કરવાનું ટાળો અને કાનને વારે વારે કોટન ઈયરબડ્સ નાખીને કાન સાફ ન કરો.

કાનની તકલીફને અવગણશો નહીં: ઘણા લોકોને કાનમાં દુખાવો, વધારે અવાજ સંભરાવવો, કાનમાં અવાજ ગુંજવો જેવી કાનને લગતી સમસ્યા થતી હોય છે, જે સમસ્યાને અવગણવી ના જોઈએ, એવામાં આપણી બેદરકારી આપણા કાન ને નુકસાન પહોંચાડી શકે છે. માટે કાનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો જાતેજ કોઈ પણ ટીપા નાખવા ના જોઈએ

આ માટે તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લઇ લેવી જોઈએ જેથી કાનને લગતી સમસ્યાથી જલ્દી રાહત મળે અને કાનમાં આવતી બહેરાશ થી બચી શકાશે. જો અમને બહેરાશ જેવી કાનને લગતી સમસ્યાથી બચવું હોય તો ઉપર જણાવેલ આદતોને તમારે છોડવી જોઈએ જેથી કાનને થતા નુકસાનથી બચી શકાશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *