આજકાલની બદલાયેલ વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાવા પીવાની કુટેવોના કારણે ઘણી બાંધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. તેવી જ એક સમસ્યા પથરીની છે. તમને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિને પથરી થઈ શકે છે.

મોટાભાગે ઘણા લોકોને પથરી પિત્તમાં, મૂત્રાશયમાં કે પછી કિડનીમાં પથરી હોય છે. પથરી થવાના કારણે ઘણા લોકો તેને નીકાળવા માટે ઘણી બઘી દવાનો ખાતા હોય છે. આ ઉપરાંત ઘણી વખત પથરીનું ઓપરેશન કરાવીને પણ નીકાળી દેતા હોય છે.

પથરીનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે જે દુખાવાને દૂર કરવા માટે ઘણા બધા ઉપાય કરતા હોઈએ છીએ. આયુર્વેદમાં પથરીને દૂર કરવા માટે ઘણા બધા દેશી ઉપાય નો ઉપયોગ કરવાથી દૂર કરી શક્ય છે. આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી પથરીને નીકાળી શકાય છે.

પથરી દૂર કરવા માટે ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય માટે એક ડુંગળી લો, ત્યારબાદ ડુંગળીના ઉપર ના ફોતરાં નીકાળી લેવાના છે, પછી ડુંગળીના નાના નાના ટુકડા કરી લેવાના છે. હવે એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ તેને ધીમા ગેસ પર ગરમ કરવા મુકો અને પછી તેમાં ટુકડા કરેલ ડુંગળીને ઉમેરો અને 5 થી 10 મિનિટ રહેવા દો.

ત્યારપછી ગેસ ને બંધ કરી પાણી ને ઠંડુ થવા દો, ઠંડુ થઈ જાય ત્યારબાદ એક ચમચી પીસેલી સાકર ને ઉમેરો અને એક લીબુનો રસ નાખીને સારી રીતે હલાવી દો, બે થી ત્રણ મિનિટ પછી તે પાણીને એક ગ્લાસમાં ગાળી દેવાનું છે.

આ પીણું પીવા માટે તૈયાર થઈ ગયું છે. દિવસમાં એક વખત આ પાણી પીવાથી થોડા જ દિવસ માં પથરી નો ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકળી જશે. આ પીણું રાતે સુવાના એક કલાક પહેલા પીવાનું છે. જેનાથી ખુબ જ સારુઁ એવું પરિણામ જોવા મળશે.

આ ઉપાય કરવાથી એક પણ રૂપિયાની દવા કે ઓપરેશન વગર જ પથરી બહાર નીકળી જશે. આ ઉપાય ખુબ જ સરળ અને આયુર્વેદિક છે. આ ઉપાય કરતા પહેલા તમે તમારા નિષ્ણાત અથવા ડોક્ટર ની સલાહ લઈ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *