ઉનાળામાં શરીરમાં ત્વચા ગરમી ની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે. જેમ કે, પેટમાં બળતરા, હાથ પગના તળિયામાં થતી બળતરા, પેશાબ કરતી વખતે થતી બળતરા કે ગરમીના પ્રકોપના કારણે શરીરની અંદરની આંતરિક ગરમી વગેરે થતી જોવા મળે છે.

આ બધી સમયને દૂર કરવા માટે ના કેટલાક ઘરેલુ ઉપચાર ખુબ જ અસરકારક સાબિત થઈ છે. જે ગરમીથી શરીરને બચાવી રાખશે અને શરીરને અંદરથી ઠંડુ રાખશે અને શરીરમાં થતી બળતરામાંથી છુટકાળો આપશે. શરીરમાં થતી કોઈ પણ બળતરા થવાનું મુખ્ય કારણ આંતરિક ગરમી છે.

આંતરિક ગરમી વઘારો થવાથી પેટમાં બળતરા, પેશાબમાં બળતરા.છાતીમાં, હાશરીરની ગમે તેવી આંતરિક ગરમીને દૂર કરવાના ઘરેલુ ઉપાયથમાં કે પગના તળીયામાં બળતરા જોવા મળતી હોય છે જેને શાંત કરવા માટે શરીરને ઠંડક આપે તેવા ઉપચાર અપનાવવા જોઈએ. શરીરમાં સૌથી વધુ ગરમીનો પ્રકોપ પિત્ત પ્રકૃતિ વાળા લોકોમાં સૌથી વધુ જોવા મળે છે.

આ માટે શરીરમાં પિત્તને શાંત કરવું ખુબ જ જરૂરી બની જાય છે. ગરમીમાં પિત્તને શાંત કરવા માટે આપણે ઉનાળાની સીઝનમાં મળી આવતા ફળો જેવા કે તરબૂચ, સંતરા, નારિયેળ, લીંબુ, વગેરે ખુબ જ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ફળોનો જ્યુસ બનાવીને પીવાથી પણ ઘણો લાભ થાય છે.

જે શરીરની અંદરની ગરમીને દૂર કરે છે અને શરીરને ઠંડક આપીને પિત્તના પ્રકોપને દૂર કરે છે. હવે તમને આંતરિક ગરમીના કારણે થતી બળતરાને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાય વિષે જણાવીશું.

આંતરિક ગરમી દૂર કરવાના ઘરેલુ ઉપચાર: આ માટે તમારે એક ચમચી આમળાનો પાવડર લેવાનો છે, ત્યાર પછી એક ગ્લાસ પાણી લઈને તેમાં નાખીને બરાબર હલાવી લો, હાબે તેમાં એક ઈલાયચીનો ભૂકો કરી તેમાં નાખી તે પાણી પી જવાનું છે. આ પીણું પીવાથી શરીરમાં થતી બળતરા દૂર થાય છે.

શરીરની ગમે તેવી આંતરિક ગરમીને દૂર કરવા દૂઘ ખુબ જ ઉપયોગી છે. આ માટે એક વાટકી દૂઘમાં એક સાકાર નો ટુકડો નાખીને મિક્સ કરીને સવારે અને સાંજે બંને સમયે પી જવાથી આંખોની બળતરા, પેશાબની બળતરા અને હાથ પગની બળતરા દૂર થઈ જાય છે. આ દૂધ પીવાથી બહી ગરમીને ખેંચીને બહાર કાઠી દેશે અને શરીરને ઠંડક આપશે.

ગરમીના પ્રકોપથી હાથ પગમાં બળતરા થતી હોય છે તો ગાયની ઘી ખુબ જ ફાયદાકારક છે, દિવસમાં બે વખત પાંચ-પાંચ મિનિટ હાથ અને પગના તળિયામાં માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે.

પિત્ત પ્રકૃતિને શાંત કરવા માટે કાળી દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે, માટે તમારે કાળી દ્રાક્ષના 10 દાણા લઈને આખી રાત માટે પલાળી રાખવાના છે, ત્યાર પછી તેને સવારે ઉઠીને ચાવી ચાવીને ખાઈ લેવાથી પિત્ત શાંત થાય છે.

આંખોની બળતરા દૂર કરવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે, આ માટે તમે એક કાકડી લઈને તેની બે સ્લાઈસ લઈ લો ત્યાર પછી આંખો બંઘ કરી કાકડીને આંખો પર મૂકી રાખો. આ રીતે રાત્રે ઉપાય કરવાથી આંખોમાં થતો દુખાવો કે જલન ની સમસ્યા દૂર દૂર થઈ જશે.

પેશાબમાં થતી બળતરાને 10 મિનિટ માંજ દૂર કરવા માટે લીંબુ ખુબ જ ફાયદાકારક છે, આ માટે તમારે સવારે અને સાંજે લીંબુ પાણી પીવાનું છે, જેથી પેશાબ કરવામાં થતી બળતરામાં રાહત મળશે. લીંબુ પાણી પીવાથી ગરમીમાં શરીરને ઠંડક મળશે. લીંબુ પાણી પીવાથી શરીરમાં ઉર્જા અને એનર્જી પણ મળી રહેશે જે કોઈ પણ કરવામાં લગતા થાકને દૂર કરવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *