આજના આધુનિક યુગમાં સાંઘા અને હાડકા ના દુખાવાની સમસ્યા વધી ગઈ છે. આ સમસ્યા નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિમાં જોવા મળે છે. આ દુખાવા માં રાહત મેળવવા કઈ રીતે મેળવવો તેના વિષે આજના લેખમાં જણાવીશું.
આજે અમે તમને સાંધા અને હાડકા ના દુખાવામાં માટે ના એક ફળ વિષે જણાવીશું આ ફળ હાડકા અને સાંધા માટે ખુબ જ ફાયદાકારક છે. આ ફળ નાની ઉંમરથી લઈ મોટા ઉંમરના દરેક વ્યક્તિ ખાઈ શકે છે. 35 -60 વર્ષની ઉંમરના લોકો માટે ખુબ જ ફાયદાકારક છે.
અહીંયા જે ફળ વિષે જાણવા ના છીએ તે ફળનું નામ કેળું છે. જે બારેમાસ મળી આવતું ફળ છે. એક કેળા માં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ કેલ્શિયમ ની ઉણપ થતી જોવા મળે છે.
આજના સમયમાં 35 વર્ષની ઉંમર પછી ના લોકોમાં હાડકા અને સાંઘાના દુખાવાની સમસ્યા થાય છે, પરંતુ જો તમે 35 વવર્ષની ઉંમર પછી રોજે દિવસમાં એક કેળું ખાવાથી શરીરમાં કેલ્શિયમ ની કમી પુરી થાય છે.
જો તમે દરરોજ એક કે બે કેળા ખાઓ છો તો શરીરમાં શારીરિક નબળાઈ પણ દૂર થાય ચ્ચે અને શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા પણ મળી રહે છે. આ સાથે વધતી ઉંમરે હૃદય સંબધિત સમસ્યા હોય કે બ્લડપ્રેશર ની સમસ્યા હોય તો કેળા ખાવાથી ફાયદો થાય છે.
કેળામાં સારા પ્રમાણમાં પોટેશિયમ પણ મળી આવે છે, તેમાં મળી આવતા પોટેશિયમ હૃદયની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. આ માટે હૃદય સબંધિત બીમારી થી પીડિત હોય તેવા લોકો માટે કેળું અમૃતફળ સમાન છે.
જો તમને વારંવાર બીપી વધી જતું હોય તો તેવા લોકો માટે કેળા ફાયદાકારક છે. આ ઉપરાંત રોજે એક કેળું ખાવાથી નબળી પડી ગયેલ પાચનક્રિયા પણ મજબૂત બને છે. જેના કારણે પેટમાં ગેસ, કબજિયાત, એસીડીટી જેવી સમસ્યા થતી નથી.
કેળા ખાવાના સૌથી વધુ ફાયદા મેળવવા હોય તો રોજે ભોજન પછી એક કેળું ખાઈ લેવું જોઈએ. ભોજન પછી રોજે એક કેળું ખાવાથી પેટ સંબધિત સમસ્યા થતી નથી, પેટ સ્વસ્થ રહેવાથી શરીર આખું નિરોગી રહે છે, આ માટે ભોજન પછી એક કેળું ખાવું આરોગ્ય માટે ફાયદાકારક છે.
કેળામાં સારા પ્રમાણમાં આયર્ન પણ મળી આવે છે, આ માટે જેમને શરીરમાં લોહી ઓછું રહેતું હોય તેવા લોકો એ કેળું ખાવું ફાયદાકારક છે. લોહીની ઉણપ ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા મળે છે આ માટે મહિલાઓ માટે રોજે એક કેળું ખાવું લાભદાયક સાબિત થશે.
કેળા ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ઘ્યાન રાખવું કે પાકા કેળા જ રાખવા જોઈએ અને દિવસ દરમિયાન એક કે બે કેળા જ ખાવા જોઈએ. તેનાથી વધુ ના ખાવા જોઈએ. જો તમે પણ 60 વર્ષની ઉંમર પછી પણ હાડકાને મજબૂત અને સાંઘાને લગતી સમસ્યાથી બચવું હોય તો 35-40 વર્ષની ઉંમર પછી રોજે એક કેળું ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. જે હાડકાને મજબૂત બનાવશે.