આજની આ માહિતીમાં આપણે વાર કરીશું એવી સમસ્યાઓ વિષે જે આજના સમયે દરેક ઘરમાં જોવા મળે છે. આ સમસ્યાઓ એટલે કે હાડકા અને સાંધામાં થતાં દુઃખાવા. અત્યારના મોટાભાગના લોકો હાડકા અને સાંધામાં દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે.

હવે તો આ સમસ્યા ખુબજ નાની વયના લોકોમાં પણ જોવા મળતી થઇ ગઈ છે. તો અહીંયા તમને હાડકાં અને સાંધાના દુખાવા માટે ખુબજ કારગત સાબિત થતા એક ફળ વિષે જણાવીશું જે તમને 55 વર્ષ પછી એટલે કે વૃદ્ધાવસ્થા પણ ખુબજ લાભદાયક સાબિત થશે. તો અહીંયા આપણે જે ફળની વાત કરવાના છીએ તે ફળનું નામ છે કેળુ.

કેળું એક એવું ફળ છે જે તમને આખા વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી મળી રહે છે. કેળું દેખાવમાં થોડું નાનું હોય છે પરંતુ તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. 50 વર્ષથી વધુ ઉમરમાં જ્યારે હાડકા અને સાંધાના દુઃખાવા થાય ત્યારે આ કેલ્શિયમથી ભરપૂર કેળું તમારા શરીરમાં કેલ્સિયમ ની કમી પુરી કરી શકે છે. આથી વૃદ્ધાવસ્થામાં દરેક લોકોએ નિયમિત બે થી ત્રણ કેળા ખાવા જોઇએ.

નિયમિત રીતે બે થી ત્રણ કેળા ખાવાથી શરીર માં નબળાઈ દૂર રહે છે અને શરીર ને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. આ સિવાય વધારે ઉમરની વ્યક્તિઓમાં હૃદય અથવા હૃદય રોગની જે લોકોને સમસ્યા હોય, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેમાં પણ નિયમિત કેળું ખાવું ફાયદાકારક સાબિત થાય છે.

પોટેશિયમ નામનું મહત્વપૂર્ણ તત્વ કેળામાં રહેલું છે. કેળામાં પોટેશિયમ ની માત્રા ખુબજ વધુ હોવાથી તે તમારા હૃદયની કાર્યક્ષમતાને ખૂબ મજબૂત બનાવે છે. આથી જે લોકોને હૃદયની તકલીફ છે તેવા લોકો માટે કેળુ અમૃત સમાન છે.

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, બીપી વધી જવાની સમસ્યા હોય તેવા લોકો માટે પણ કેળા રામબાણ છે સાથે સાથે રોજ કેળાનુ સેવન કરવાથી પાચનતંત્ર પણ ખુબજ મજબૂત બને છે જેનાથી તમને પેટમાં ગેસ, એસિડિટી અને કબજીયાતની સમસ્યા થતી નથી.

હવે આપણે જાણીએ કે કેળા ક્યારે ખાવા જોઇએ જેથી આપણે તેનો ભરપૂર લાભ મેળવી શકીએ. તો દરરોજ જમ્યા પછી એક કેળુ પાકું ખાવું જોઇએ. દિવસમાં જમ્યા પછી એક કેળું ખાવું એટલે કે દિવસમાં બે કેળા ખાઓ છો તો તમને પેટની સમસ્યા થતી નથી.

તમને જણાવીએ કે પોટેશિયમ શિવાય કેળામાં એક બીજો ગુણ રહેલો છે જેનું નામ છે આયર્ન. જે લોકોને લોહીની સમસ્યા હોય તેમના માટે રોજ એક કેળું ખુબજ ફાયદકારક છે. ખાસ કરીને મહિલાઓમાં લોહીની ઉપણ વધુ જોવા મળે છે જેથી તેમના માટે રોજ એક કેળુ ખાવું ખુબજ ગુણકારી સાબિત થાય છે.

એક વાતનું ધ્યાન રાખવું કે તમે જે કેળું ખાઓ છો તે કેળું પાકુ હોવું જોઈએ. જો તમે કાચું કેળું ખાઓ છો તો તમને પેટની સમસ્યા વધી શકે છે અને પેટ ભારે ભારે થઈ શકે છે. આ ઉપરાંત જયારે પણ કેળું ખાઓ ત્યારે એક સાથે વધુમાં વધુ બે જ કેળા ખાવા.

વધુ કેળા એકસાથે ખાવા ન જોઇએ. આ સિવાય શરીર ના કોઈ ભાગ પર દાઝી ગયા હોય ત્યાં કેળાની છાલની પેસ્ટ બનાવી લગાવવાથી દાઝી ગયેલી ભાગ ઝડપથી સારો થઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *