શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે યોગ્ય આહાર અને પરિશ્રમ કરવો જોઈએ. આ માટે શાકભાજી અને ફળો ખાવા જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે શરીરના દરેક અંગોને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે.
જેમ ઋતુ બદલાય છે તેમ શાકભાજી અને ફળો પણ અલગ અલગ આવે છે, માટે સીઝન માં મળી આવતા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. આજે અમે તમને એક એવા ફળ વિષે જણાવીશું જે તમને બારેમાસ મળી આવશે.
તે ફળનું નામ મોસંબી છે જેમાં કુદરતી રીતે મીઠાસ મળી આવે છે, તે ખાવું દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ આ ફળ લોકો જયારે બીમાર પડે છે ત્યારે જ ખાતા હોય છે. આ ફળ ખાવાથી અનેક વાયરલ બીમારીને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિને વધવાનું કામ કરે છે.
મોસંબી ફળમાં ફાયબર, વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે, જે શરીરમાં થતા નાના મોટા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. હવે મોસંબી ખાવાના ફાયદા વિષે જણાવીશું.
આ ફળ ડાયબિટીસ દર્દી માટે સૌથી ઉત્તમ ફળ માનવા આવે છે, લોહીમાં જયારે સુગર ભરી જાય છે ત્યારે ડાયબિટીસ થવાની શરૂઆત થાય છે. માટે જો તમે રોજે મોસંબીના ચાર થી પાંચ ટુકડા ખાઓ છો તો સુગર લેવલ નિયત્રંણમાં રહેશે, આ ઉપરાંત તમે મોસંબીનો જ્યુસ બનાવીને પી શકો છો.
તેમાં મળી આવતું વિટામિન-એ આંખો માટે ખુબ જ સારું માનવામાં આવે છે, આંખોને ચોખ્ખી અને સ્વસ્થ રાખવા માટે મોસંબીની છાલ લઈ તેના આંખોમાં ટીપા પાડો, આમ કરવાથી આંખો માંથી બધો જ કચરો દૂર થાય છે અને આંખો તેજસ્વી બને છે. તે આંખોના નંબર
આ ફળમાં સારી માત્રામાં પોટેશિયમ અને ફોલેટ મળી આવે છે જે હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે, તે કોલેસ્ટ્રોલની નિયત્રંણમાં રાખે છે અને હાર્ટ અટેક અને બ્રેન સ્ટોકના જોખમને ઘટાડે છે.
તેનું નિયમિત સેવન કરવાથી જેમને વારે વારે કબજિયાત થવાના કારણે મળ છૂટો પડતો નથી તેવા લોકો માટે આ ફળનું સેવન કરવાથી જુનામા જુનો મળ મળ પણ છૂટો પડી જાય છે જેથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.
તેમાં સારા પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે જે શરીરમાં ઈમ્યુનિટીને વઘારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. જો તમે આ ફળનું સેવન નિયમિત કરશો તો પેટ ભરેલું હોય તેવું લાગશે જેથી વજન પણ વધશે અને નહિ નિયત્રંણ માં રહેશે.
વાળને સ્વસ્થ અને હેલ્ધી બનાવવા માટે નિયમિત પાને તેના જ્યુસનું સેવન કરવું જોઈએ, જો તમે નિયમિત જ્યૂસનું સેવન કરો તો લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે અને બહારની ડલ પડી ગયેલ સ્કિનને નિખાર લાવે છે. તે વૃદ્ધાવસ્થાના ચિન્હોને દૂર કરી ઘરડા થતા અટકાવે છે.