આજે તમને જણાવીશું કે માર્ચ મહિનાની અંદર માત્ર 15 દિવસ તમે અહીંયા જણાવેલી પાંચ વસ્તુઓને છાશની અંદર નાખીને પીશો તો માર્ચ મહિનાની અંદર શરીરમાં થતી 80 થી વધુ બીમારીઓથી બચી શકો છો. અહીંયા જણાવેલી વસ્તુઓ આપણા ઋષિઓએ ગ્રંથોમાં જણાવેલી છે.
અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર પાંચમા અધ્યાયમાં 34મા શ્લોકની અંદર ભાગવત ઋષિએ કહ્યું છે કે માર્ચ મહિનાની અંદર છાશમાં આ 5 વસ્તુઓ નાખીને તમે પીશો તો તમે 80 થી વધુ બીમારીથી બચી શકશો. માર્ચ મહિનાની શરૂઆત થાય છે ત્યારે વસંત ઋતુનું આગમન થાય છે.
ત્યારે ઠંડી ઓછી થાય છે અને ઉનાળાની ગરમીની શરૂઆત થાય છે એટલે કે ઋતુનું મિલન થાય છે. ચરક ઋષિએ કહ્યું છે કે કે જ્યારે જ્યારે પણ બે ઋતુનું મિલન થાય છે ત્યારે વરાવરણમાં તેની અસર થાય છે અને આ કારણે આપણા શરીરની અંદર પણ વાતાવરણની અસર થાય છે એના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે.
માર્ચ મહિનાની શરૂઆત થાય છે ત્યારે ગરમીની શરૂઆત થાય છે. શિયાળાની અંદર એટલે ઠંડીની ઋતુમાં આપણા શરીરમાં જે કફ જમા થયો હોય એ જ્યારે માર્ચ મહિનાની અંદર ગરમીની શરૂઆત થાય છે ત્યારે ગરમીના કારણે આપણા શરીરની અંદરથી ધીમે ધીમે ઓગળવા લાગે છે.
જયારે આપણા શરીરની કફ ઓગળે છે ત્યારે આપણા શરીરની અંદર કફ ને લગતા 80 પણ વધારે પ્રકારની બીમારીઓ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી હોય છે. પરંતુ જો થોડું ધ્યાન આપવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો જાણીએ કફ નાશક આ પાંચ વસ્તુઓ જે માર્ચ મહિનામાં છાશમાં નાખીને પીવાની છે.
સૌ પ્રથમ કફનાશક વસ્તુ સૂંઠ પાવડર, બીજા નંબરે કાળા મરીનો પાવડર, ત્રીજા નંબરે લીલા ધાણા એટલે કે કોથમીર. લીલાં ધાણાં ન હોય તો સૂકા ધાણાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચોથા નંબરે હિંગ અને પાંચમા નંબરે અજમો.
આ 5 વસ્તુ નો પાવડર બનાવી અને દરરોજ મોળી છાસ પીવાની છે. ઘરેજ દહીં જમાવી અને છાશ બનાવીને પીવાની છે. માર્ચ મહિનાની અંદર તમારે દરરોજ આ પાંચ વસ્તુનો પાવડર અડધી ચમચી લઈને છાશમાં નાખીને છાશ પીવાની છે.
દરરોજ આ છાશ પીવાથી કફ ઓગળે છે. તમને જણાવીએ કે કફ થવાને કારણે જઠરાગ્નિને મંદ પડે છે અને પાચનક્રિયા મંદ પડે છે અને એના કારણે આપણને ભૂખ લાગતી નથી અને આળસ આવે છે.
કફ જો નળીઓમાં જમા થાય છે તો તમને તેના કારણે હાર્ટઅટેક પણ આવી શકે છે, એસીડીટી, ગેસ, થાઇરોઇડ આવી ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે. જો આ બધી સમસ્યાઓથી દૂર રહેવું હોય તો માર્ચ મહિનાની અંદર દિવસમાં બે વાર છાશ પીવી જોઈએ.
છાશ પીવાથી લીધેલો ખોરાક ઝડપથી પછી જાય છે અને તમારી જઠરાગ્નિ સારી રહે છે. માત્ર માર્ચ મહિનામાં 15 દિવસ આ રીતે છાશ પી લો અને તમારા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખો.