હાલના સમયમાં સૌથી વધુ પ્રદુષણ ભારત દેશમાં જોવા મળે છે. વઘારે પ્રદુષિત વાતાવરણના કારણે આપણે ઘણી બીમારીના શિકાર બની શકીએ છીએ. વધારે પ્રદુષણ ના કારણે જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પ્રદુષિત હવા અને ધૂળના રજકણો આપણી શ્વાસ નળીમાં થઈને ફેફસામાં જમા થાય છે.

ઘણા લોકોને કયાંક બહાર નીકળે અને પ્રદુષિત વાતાવરણમાં જાય છે ત્યારે તેમને ખાંસી, ગાળામાં બળતરા, નાકમાંથી પાણી નીકળવું, ગાળામાં કફ જામી જવો જેવી એલર્જીનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે તે વ્યકતિને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

જયારે ફેફસામાં વઘારે કચરો ભરાઈ જાય છે ત્યારે આપણે શ્વાસ લેવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં જો થોડું ચાલો તો પણ શ્વાસ ચડવાનું શરુ થઈ જાય છે. આ ઉપરાંત સીડીથી ચડવા ઉતરવા માં પણ શ્વાસ ચડવા જેવી સમસ્યા થતી હોય છે.

વાતાવરણમાં થતા બદલાવના કારણે શરદી, ખાંસી અને કફની સમસ્યા થતી હોય છે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. માટે આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિશે જણાવીશું જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થશે. આ ઉપરાંત ગળા અને ફેફસા જામી ગયેલ કફ અને કચરાને સાફ કરી દેશે.

આ ડ્રિન્ક બનાવવા માટે: સૌથી પહેલા એક ગ્લાસ પાણી હૂંફાળું ગરમ કરીને નીચે ઉતારી લેવું, ત્યાર પછી તેને ઠંડુ થવા દેવું. આ ડ્રિન્કમાં એક ચમચી દેશી મઘ મિક્સ કરીને બરાબર હલાવી લો, આ ડ્રિન્કને સવારે નરણાકાંઠે ખાલી પેટ પીવાનું છે. ધ્યાનમાં રાખો કે મધને ગરમ પાણીમાં ન નાખવું.તેનાથી નુકશાન થઇ શકે છે.

આ ડ્રિન્કનું સેવન કરવાથી આપણા ફેફસામાં જામેલ બઘો કચરો સાફ થઈ જશે અને ફેફસા સારી રીતે વર્ક આઉટ કરવા લાગશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી ફેફસાની કાર્ય ક્ષમતામાં વઘારો થાય છે. આ ડ્રિન્કના સેવનથી ફેફસામાં જામેલ કફને પણ દૂર કરી દેશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી ફેફસા કાચ જેવા ચોખા કરી ફેફસાને મજબૂત બનાવી દેશે.

જો તમને ગળામાં બળતરા થતી હોય કે ગળામાં કફ જમા થઈ ગયો હોય તો આ ડ્રિન્કનું સેવન સવારે નરણાકાંઠે ઉઠીને કરવાથી ગળામાં જામેલ જીદી કફ પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત ગળાની બળતરા દૂર કરીને અવાજને ખોલવામાં મદદ કરે છે.

જો તમે આ ડ્રિન્કનું સેવન કરો છો તો શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી દેશે. જેથી ઘણા રોગથી બચવામાં મદદ કરશે. આ ડ્રિન્ક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. માટે દરેક વ્યક્તિ આ ડ્રિન્કનું સેવન કરી શકે છે.

આ ડ્રિન્કનું સેવન કરવાથી આપણા આંતરડામાં જામેલ કચરાને પણ દૂર કરશે. આ સુપર ડ્રિન્કનું સેવન કરવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે. જેથી પાચનતંત્ર મજબૂત બને છે. આ ઉપરાંત જો મળ છૂટો ના પડતો હોય તો આ ડ્રિન્કનું સેવન કરવાથી મળ આસાનીથી બહાર નીકળી જશે. જેથી પેટ સાફ થઈ જશે.

જો તમે વાયરલ ઈન્ફેક્શનથી બચવા માંગતા હોય અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી હોય તો આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત ફેફસા અને આંતરડાને કાચ જેવા ચોખા બનાવી રાખવા માટે પણ આ ડ્રિન્ક રામબાણ સાબિત થશે.

મોટા ભાગે ઘણા લોકો સવારે નરણાકાંઠે ઉઠીને ગરમ પાણીનું સેવન કરતા હોય છે. ખાલી ગરમ પાણી પીવાથી પણ આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ જો તમે તેના વધુ ફાયદા લેવા માંગતા હોય તો પાણીમાં મઘ મિક્સ કરીને એક વખત જરૂર પીવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરશે.

નોંધ: જો તમને કોઈ પણ તકલીફ હોય તો પહેલા ડોક્ટરની સલાહ લો અને પછી જ કોઈ પણ ઉપાય અજમાવો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *