દરેક વ્યક્તિ ચા પીવાના શોખીન હોય છે. દરેક વ્યક્તિને ખાંડ વાળી ચા પીવાનું ખુબ જ ગમે છે. પરંતુ શું તમે બઘા જાણો છો કે ખાંડ વાળી ચા પીવાથી શરીરમાં અનેક બીમારી જોખમ પણ વઘી શકે છે. ખાંડ વાળી ચા નું સેવન કરવાથી શરીરમાં ડાયાબિટીસ થઈ શકે છે.
આ ઉપરાંત ખાંડ વાળી ચાનું સેવન કરવાથી હાડકાને પણ નબળા પાડી શકે છે. આ સિવાય હદયને પણ કમજોર બનાવી દે છે. જો વઘારે પ્રમાણમાં ખાંડ વાળી ચા પીવામાં આવે તો ટીબી ની બીમારી પણ થઈ શકે છે. જો ટીબી સમસ્યા થઈ જાય તો ઘણી બઘી બીમારો થવાની શકયતા પણ વઘી જાય છે.
ખાંડ વાળી ચા નું સેવન કરવાથી શરીર માં કમજોરી આવી જાય છે આ ઉપરાંત અસ્થમા જેવી બીમારી પણ થઈ શકે છે. જો ચા માં ખાંડ નો ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં સાંઘાના દુખાવા જેવી સમસ્યા પણ થાય છે. માટે ચા માં ખાંડ નાખીને ના પીવી જોઈએ.
જો શરીરમાં ખાંડનું પ્રમાણ વઘી જાય તો શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ વઘી જાય છે અને હદયને નબળું પાડી દે છે. જેથી હદયની નશો પણ બ્લોક થવા લાગે છે. જેથી ખાંડ આપણા શરીર માટે ખુબ જ નુકસાનકારક છે.
હવે તમે પણ વિચારતા હશો કે ખાંડ વાળી ચા પીવાથી આટલા બઘા નુકસાન થાય છે તો હવે ચા માં શુ નાખવું. ચા માં એવી વસ્તુ નાખવી જોઈએ જેથી આપણા સ્વાસ્થ્યને પણ ખુબ જ ફાયદો થાય.
માટે આજે અમે તમને ગોળની ચા બનાવીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું. ગોળમાં કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન,વિટામિન, ફોસ્ફરસ, વિટામિન-સી, વિટામિન-ડી, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. જે આપણા શરીરના હાડકા માટે ખુબ જ જરૂરી છે.
ગોળમાં રહેલ પોટેશિયમ આપણા પેટને લગતા દરેક રોગને દૂર કરવામાં મદદ કરે છે. માટે ચા માં ગોળ નાખીને પીવાથી ગેસ, એસીડીટી, કબજિયાત જેવી સમસ્યા હશે તો તે કાયમ માટે દૂર થઈ જશે.
શિયાળામાં દરેક વ્યક્તિને ચા પીવી ખુબ જ ગમે છે. માટે ગોળ વાળી ચા નું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થશે અને શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરશે.
ગોળ વાળી ચા બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં અડઘો ગ્લાસ પાણી લઈને ગેસ પર મુકો, ત્યાર પછી તેમાં એક ચમચી ચા ની ભૂકી નાખો, પછી થોડું ઉકળે ત્યારે તેમાં દૂઘ અને ગોળનો ટુકડો નાખો, ત્યાર પછી એક ચપટી સૂંઠ પાવડર પણ તેમાં નાખીને ચા ને ઉકળવા દો. બરાબર ઉકાળી જાય ત્યારે ગેસ બંઘ કરીને ગાળીને પી લેવાની છે.
શરદી, ઉઘરસ, કફ જેવી કોઈ પણ વાયરલ ઈન્ફેકશન જેવી કોઈ પણ સમસ્યા હોય તો તેનાથી છૂટકળો મેળવવા માટે આ ગોળ વાળી ચા નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત આ ચા નું સેવન કરવાથી હદય પણ મજબૂત અને સ્વસ્થ રહે છે. આ ઉપરાંત હદયની નસોને ખોલી દે છે.
જો શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી હોય તો આ ગોળ વાળી ચા નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત શરીરના હાડકાને પણ મજબૂત બનાવે છે. જેથી સાંઘાના દુખાવામાં ઘણી રાહત મળે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.