આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખે તેવા સરગવાના જ્યુસ વિશે જણાવીશું. સરગવાનું શાક ઘણા લોકો ને ખુબ જ ભાવે છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે જે સરગવો જોઈએ જ મોં બગાડી દેતા હોય છે. પરંતુ તે લોકો જાણતા નથી કે સરગવો શરીર માટે કેટલો ફાયદાકારક છે.

સરગવા ઉપરાંત તેના ફૂલ, બીજ વગેરેમાં પોષક તત્વો નો ભંડાર મળી આવે છે. માટે સરગવાને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જે શરીર માટે અનેક પોષક તત્વોની કમીને દૂર કરવામાં મદદ કરે છે.

સરગવાના બીજ, છાલ, પાન, અને તેનું ગુંદ આયુર્વેદિક દવાઓ અને તેલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો શરીરના દરેક અંગને મજબૂત કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ સરગવાના જ્યુસ પીવાથી થતા ફાયદા વિશે.

ગર્ભવતી મહિલાઓ: દરેક મહિલાઓ માટે સરગવાનો જ્યુસ ખુબજ ફાયદા ફાયદાકારક છે. પરંતુ તેના કરતા વઘારે ગર્ભવતી મહિલાઓ માટે આ જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. કારણે ગર્ભવતી મહિલાઓ ને ડિલિવરી વખતે ખુબ જ તકલીફ પડતી હોય છે તો તેમાં રાહત આપે છે. આ ઉપરાંત સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે.

વિટામિન-સી: સરગવામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. હે નાની મોટા અનેક રોગો સામે લડવામાં સક્ષમ છે. આ ઉપરાંત જો શરદી થઈ ગઈ હોય અને નાક બંઘ થઈ ગયું હોય તો સરગવાને પાણીમાં નાખીને ઉકાળીને તેની વરાળ સુંગવાથી નાક ખુલે છે અને શરદી મટી જાય છે.

હાડકાને મજબૂત કરે: સરગવામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે શરીરના દરેક હાડકાને મજબુત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, મેગ્નેશિયમ જેવા તત્વો પણ મળી આવે છે જે સાંઘાના દુખાવને દૂર કરવામાં મદદ કરે છે. નબળા પડેલા હાડકાને મજબૂત કરે છે.

લોહી શુદ્ધ કરે: સરગવાનું શાક અથવા તેનું જ્યુસનું સેવન કરવાથી લોહીમાં રહેલ અશુદ્ધિ ને દૂર કરીને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જેથી ત્વચાને અંદરથી શુદ્ધ કરે છે જેથી ચહેરા પર ખીલ થયેલ હોય તો તે પણ દૂર થઈ જાય છે.

ડાયાબિટીસ: ડાયાબિટીસ દર્દી માટે સરગવાનું જ્યુસ અને સરગવાનું શાક બંને ગુણકારી છે. નિયમિત પણે સરગવાના જ્યૂસ અને શાકનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. માટે આ જ્યુસ ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ અસરકારક સાબિત થશે.

સરગવાના જ્યૂસનું સેવન કરવાથી વઘતા વજનને કંટ્રોલ કરે છે અને શરીરમાં વઘારે પડતી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના જ્યૂસનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા દૂર થાય છે અને પાચન ક્રિયામાં સુઘારો થાય છે. જેના કારણે પાચન તંત્ર મજબૂત થાય છે.

સરગવાના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક તત્વો ને બહાર કાઠવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા અને વાળ બંને સુંદર થાય છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ હોય તેને પણ આ જ્યુસ પીવું જોઈએ જે નબળી રોગપ્રતિકારક શકતીને વઘારવામાં મદદ કરે છે.

સરગવાનો જ્યુસ બનાવાની રીત: સૌથી પહેલા સરગવાને બાફી લો, ત્યાર પછી તેને મિક્સરમાં નાખીને ક્રશ કરી લો. પચીને તેને એક ગ્લાસમાં ગાળી લો, પછી તેમાં સિંઘાલુ મીઠું અને કાળામરીનો પાવડર એક ચપટી મિક્ક્ષ કરો. ત્યાર પછી આ જ્યૂસને દિવસમાં કોઈ પણ સમયે પી જવું.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *