આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ગરમીમાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું પણ ખુબ જ જરૂરી છે, આ માટે આપણે ખાવા પીવામાં પણ ખુબ જ ઘ્યાન રાખવું જરૂરી છે. જેના કારણે આપણે શરીરને હાઈડ્રેટ રાખી શકશે. જે આપણે ગરમીના તેજ પ્રકોપથી બચાવશે.

આ માટે આપણે એવી વસ્તુ ખાવી અને પીવી જોઈએ જે શરીરને ગરમીથી બચાવી રાખે આ માટે આજે અમે તમને એક રસ વિષે જણાવીશું જેને કયા સમયે પીવાથી ગરમીથી બચાવી અને શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે આ રસ શરીરને ઠંડક પણ આપશે.

આ માટે આપણે શેરડીનો રસ પીવાનો છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી પીણું છે, જે દરેક વ્યક્તિને પીવું ગમે છે, હાલત ચાલતા ક્યાંક બહાર ગયા હોય અને આપણે કયાંક શેરડીનો રસ દેખાઈ જાય ત્યારે આપણે રસ પીવા ઉભા રહી જઈએ છીએ પરંતુ શેરડીનો રસ પીવાનો પણ એક સમય હોય છે તે સમયે પીવાથી આપણા શરીરને ઘણા બઘા ફાયદા થાય છે.

શેરડીનો રસ પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જી આવી જાય છે, શેરડીના રસમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે, જેમકે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફાયબર, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો આવેલ છે. જે કેન્સર જેવા કોષો સામે રક્ષણ આપણે છે અને શરીરને અનેક રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે.

શેરડીનો રસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે, આ રસ પીવાથી લોહીનું પરિવહન સારું થાય છે જેથી નસો બ્લોક થવાનું જોખમ રહેતું નથી, જેથી હાર્ટને લગતી સમસ્યાથી બચાવી રાખે છે. માટે આ રસ હૃદયના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.

આ રસ ફાયબરથી ભરપૂર છે, જે પાચનને લગતી સમસ્યાને દૂર કરી પાચનક્રિયાને તેજ કરે છે જેથી ખોરાક સરળતાથી પચી જાય છે અને કબજિયાતમાં રાહત આપે છે, આપણા શરીરમાં કોઈ પણ ખોરાક સરળતાથી પચી જાય તો ચરબી વધતી નથી જેથી વજન પણ કંટ્રોલમાં રહે છે. માટે વજનને નિયંત્રણમાં રાખવા માટે શેરડીનો રસ ખુબ જ ફાયદાકારક છે.

આ રસમાં મળી આવતું કેલ્શિયમ દાંતને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત દાંતને લગતી સમસ્યાને ધટાડવામાં મદદરૂપ સાબિત થશે. આ રસમાં મળી આવતું કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત બનાવે છે જેથી સાંઘા દુખાવાની સમસ્યા દૂર થાય છે.

ગરમીમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી શરીરમાં ભરપૂર એનર્જી આવે છે, આ રસ પીવાથી શરીરમાં થતી પાણીની કમીને પૂર્ણ કરે છે જેથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરને ગરમીથી બચાવી ઠંકડ આપે છે. આ અમૃત સમાન રસ પીવાથી પેટનો દુખાવો, પેટની બળતરા, પેશાબની બળતરાને પણ દૂર કરશે.

ઘણી વખત મહિલાઓમાં પણ યુરિન ઈન્ફેક્શનની સમસ્યા જોવા મળતી હોય છે તે સમસ્યાને દૂર કરવા માટે મહિલાઓ એ પણ આ રસ પીવો જોઈએ. જે યુરિન ઈન્ફેક્શનને ઘટાડશે. મહિલાઓ અને પુરુષો બંનેના શરીરમાં થયેલ વીકનેશને દૂર કરીને તરોતાજા રાખશે.

શેરડીનો રસ પીવાનો સાચો સમય: શેરડીના રસના ભરપૂર સ્વાસ્થ્ય ફાયદા મેળવવા માટે બપોરે 12 વાગ્યા પહેલા શેરડીનો રસ પીવો જોઈએ, જે શરીરને ઠંડક આપશે અને ગરમીથી બચાવશે. આ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ શેરડીનો રસ પીવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *