આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે હળદર વાળું દૂઘ પીવાથી શરીરને શું ફાયદા થાય તેના વિશે જણાવીશું. હળદરનો ઉપયોગ ખાસ કરીને રસોઈમાં કરવામાં આવતો હોય છે. હળદરમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણઘર્મો મળી આવે છે. હળદરને રસોઈનો રાજા કહેવામાં આવે છે.

હળદર નો ઉપયોગ રસોઈ સિવાય અનેક બીમારીને દૂર કરવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આપણે બઘા જાણીએ જ છીએ કે જયારે આપણે કોઈ દુખાવો થતો હોય કે કોઈ જગ્યા ઈજા થઈ હોય ત્યારે હળદરવાળું દૂઘ પીવાની સલાહ આપવામાં આવતી હતી.

હળદર વાળું દૂઘ પીવાથી શરદી, ખાંસી, ગળા માં ઈન્ફેક્શન જેવી બીમારીને દૂર કરવામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ સિવાય રાત્રે સુતા પહેલા હળદર વાળું દૂઘ પીવામાં આવે તો ખુબ જ સારી ઊંઘ પણ આવે છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

શિયાળામાં હળદર વાળું દૂઘ પીવું સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ હળદર વાળું દૂઘ પીવાના ફાયદા અને હળદર વાળું દૂઘ બનાવવાની રીત વિશે જણાવીશું.

હળદર વાળું દૂઘ બનાવવાની રીત : સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ દૂઘ લો, તેમાં એક કે દોઢ ચમચી હળદર નાખો હવે દૂઘ ને ગેસ પાર મૂકીને ગરમ કરો. ત્યારબાદ થોડું ઠંડુ થાય ત્યારે તે દૂઘ પીંજાઓ. આ હળદર વાળું દૂઘ રાત્રે ઊંઘવાના અડઘો કલાક પહેલા પી જવું.

હળદર વાળું દૂઘ પીવના ફાયદા: રાત્રે હળદર વાળું દૂઘ પીવાથી શરીરમાં રહેલા કેટલાક ઝેરી તત્વોને બહાર નીકળી દે છે. જેના કારણે પાચનક્રિયા માં સુઘારો થાય છે. જો તમને પેટને લગતી સમસ્યા હોય, જેમ કે, ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યામાં ઘણી રાહત આપવાનું કામ કરે છે.

દરરોજ હળદર વાળું દૂઘ પીવાથી ચહેરામાં નિખાર આવે છે અને ચહેરો ચમકીલો બને છે. હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી સેપ્ટિક ગુણ છે જેના કારણે ચહેરા પરના ખીલ, કરચલી, ડાઘ જવી સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરા પર ના બેક્ટેરિયા દૂર થવાથી ચહેરો મુલાયમ અને ચમકીલો બની જાય છે.

દૂધ માં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવે છે.આ ઉપરાંત સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા માં પણ ઘણી રાહત આપે છે. મહિલાઓ માટે હળદરવાળું દૂઘ પીવું ખુબ જ ફાયદાકારક છે.

શરીરમાં માનસિક તણાવ કે શારીરિક તણાવના કારણે ઊંઘ આવતી નથી. તેવા લોકોએ હળદર વાળું દૂઘ પીવાથી ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ ઉઅપરાંત શરીરમાં થાક, નબળાઈ, કમજોરીને દૂર કરવામા મદદ કરે છે. હળદર વાળું દૂઘ શારીરિક કમજોરી ને દૂર કરવામાં મદદ કરે છે.

હળદર વાળા દૂઘનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી શરીર માં કેલ્શિયમની ઉણપ રહેતી નથી અને હાડકા મજબૂત થઈ જાય છે જેથી 50-60 વર્ષે પણ હાડકા નબળા નથી પડતા. માટે આ પીણું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

અમે આપેલી માહિતી તમને કેવી લાગી જરૂર જણાવજો. અમે આશા રાખીએ છીએ કે તમે પણ હંમેશા સ્વસ્થ રહો અને હેલ્ધી રહો અને હંમેશા નિરોગી રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *