આપણી વ્યસ્ત જીવનશૈલીમાં આપણા સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આપણા સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. ડ્રાયફ્રુટનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી આવે છે.

આજે અમે તમને આ આર્ટિકલમાં અંજીરના ફાયદા વિશે જણાવીશું. અંજીરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. જો આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત હશે તો અનેક રોગ આપણાથી દૂર રહેશે. અંજીર ખુબ જ પૌષ્ટિક આહાર છે.

અંજીરમાં આયર્ન, ફાયબર, કેલ્શિયમ, લોહ તત્વ, વિટામિન-એ, વિટામિન-બી2, ફોસ્ફરસ, મેંગેનીઝ, પોટેશિયમ, સોડિયમ અને ક્લોરીન જેવું તત્વો પુષ્કર પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીર માટે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ દૂઘમાં અંજીર નાખીને ખાવાના ફાયદા વિશે.

અંજીરમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જે બલ્ડપ્રેશરની સમસ્યામાં રાહત આપે છે. બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂઘમાં બે અંજીર નાખીને ખાવા જોઈએ.

અંજીરમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જેનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને વજન ને કંટ્રોલમાં રાખે છે. માટે દરરોજ બે થી ત્રણ અંજીરનું સેવન કરવું જોઈએ.

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જો કોઈ પણ વ્યક્તિને સાંઘાના દુખાવા હોય કે સ્નાયુના દુખાવા હોય તો તેમાં રાહત આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત દૂઘ અને અંજીરનું સેવન કરવાથી શરીરના દરેક હાડકા મજબૂત થાય છે.

જો ગળામાં કે છાતીમાં કફ જામી ગયો હોય તો અંજીર ખુબ જ લાભ દાયક સાબિત થશે. તેના માટે રાત્રે દૂઘને ગરમ કરીને તેમાં બે અંજીર નાખીને ઉકાળવું. ત્યાર પછી તેનું સેવન કરવાથી માત્ર બે જ દિવસમાં ગમે તેવો જીદી કફ દૂર થઈ જશે.

આ ઉપરાંત અંજીર અને દૂઘનું સેવન કરવાથી થાક અને નબળાઈ દૂર થાય છે. આ સિવાય એનું સેવન કરવાથી શરીરમાં શારીરિક નબળાઈ ને પણ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ દૂઘ અને અંજીરનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *