દરેક વ્યક્તિને સાંજના સમયે ભૂખ તો લગતી જ હોય છે. જયારે પણ ભૂખ લાગે ત્યારે ઘરમાં રહેલ કોઈ પણ નાસ્તો ખાઈ લેતા હોય છે. જેમ કે, મમરા, સક્કરપારા, ચવાણું, સેવો વગેરેનું સેવન કરતા હોય છે.

ઘણી વખત ઘણા લોકો બહારનો નાસ્તો પણ ખાતા હોય છે. જેમ કે, પકોડી, દાબેલી, વડાપાઉં, પફ, સેન્ડવીચ, વગેરેનું સેવન કરતા હોય છે. બહારના નાસ્તાનું સેવન કરતા ઘરે જ બનાવેલ નાસ્તાનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

આજે અમે તમને એવા નાસ્તા વિશે જણાવીશું જેનું સેવન દરેક વ્યક્તિએ કરેલું જ હશે. પરંતુ તે વસ્તુ ને નાસ્તામાં ખાવાથી શું ફાયદા થાય તેના વિશે અજાણ પણ હોય છે. આ વસ્તુ ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે. તેનું સેવન દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. તેને ખાવાથી સરળતાથી પચી જાય છે.

તે વસ્તુ ખુબ જ સસ્તા ભાવે મળે છે જેથી તે વસ્તુ દરેક વ્યક્તિ લાવીને સેવન કરી શકે છે. બજારમાં સરળતાથી મળી આવતી આ વસ્તુનું નામ છે મમરા. હા, મમરા દરેક જગ્યાએ મળી આવે છે. તેને ઘરે લાવીને વગારીને નાસ્તામાં સેવન કરવું જોઈએ. તે ખાવામાં આવે તો તેમાંથી ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે.

જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, સોડિયમ, ખનીજ તત્વો, વિટામિન્સ જેવા તત્વો મળી આવે છે. દરેક ના ઘરે મમરાંનું સેવન કરવામાં આવતું જ હશે. જો તમને કયારેય પણ સાંજના સમયે ભૂખ લાગે તો 40 ગ્રામ જેટલા વગારેલા મમરાંનું સેવન કરી લેવું જોઈએ. મમરાનું સેવન કરવાથી પાચન ઝડપથી થઈ જાય છે.

આ ઉપરાંત જો તમે બહારનું કોઈપણ ખોરાક ખાશો તો તે પચવામાં સમય પણ લાગી શકે અને ઘણી વખત બહારનો ખોરાક ના પચવાના કારણે તે ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે. જેથી વજન પણ વઘે છે. મમરાંનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.

વગારેલા મમરામાં ફાયબર ની માત્ર સારા પ્રમાણમાં મળી આવે છે જેથી પચનક્રિયામાં સુઘારો થાય છે અને પાચનશક્તિ મજબૂત થાય છે. વજન ઘટાડવા માટે જો તમે પ્રયત્નો કરતા હોય તો રોજ નાસ્તામાં મમરાનો સમાવેશ કરવો જોઈએ. કારણકે મમરામાં ખુબ જ ઓછી માત્રામાં કેલરી મળી આવે છે.

માટે જયારે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં મમરા ખાઈને સરળતાથી વજન ઘટાડવામાં મદદ મેળવી શકો છો. મમરામાં કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે માટે જો તમે વગારેલા મમરાને રોજિંદા આહારમાં નાસ્તામાં સમાવેશ કરશો તો હાડકામાં જરૂરી કેલ્શિયમ મળી રહેશે.

જેથી કમજોર પડેલ હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાને લગતી સમસ્યા થવાનું જોખમ પણ ઓછું રહેશે. મમરાનું સેવન કરવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કારણે તેમાં સારી માત્રામાં સોડિયમ મળી આવે છે. માટે બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેમાં વગારેલા મમરાને આહારમાં સમાવેશ કરવો જોઈએ.

જો તમને સાંજના સમયે જયારે પણ ભૂખ લાગે ત્યારે રોજ માત્ર 40 ગ્રામ વગારેલા મમરાંનું સેવન કરી લેવું જોઈએ. વગારેલા મમરા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી વજન પણ ઘટાડવા જેવી મોટી સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *