મોટાભાગના લોકો એ મીઠું પાન ખાધું જ હશે. મીઠું પાન મોટાભાગે કોઈ પણ લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પણ સમારોહમાં રાખવા આવે છે. જમ્યા પછી મીઠા પાનનું સેવન કરવાની ઘણા લોકોને આદત હોય છે.

મુખની શુદ્ધિ કરવા માટે નાગરવેલનાં મીઠા પાનનું સેવન કરવામાં આવે છે. મીઠું પાન મખવાસ માં ખાવા માટે ખુબ જ પ્રસિદ્ધ છે. નાગરવેલનું મીઠું પાન ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. જેનું સેવન કરવાની સાથે ચહેરા પર તાજગી આવી જાય છે.

ઘણા લોકોને મીઠું પાન ખાઘા વગર ચાલતું પણ હોતું નથી. ઘણા લોકો નાગરવેલનાં પાન ખાવા ખાતર ખાય છે. પરંતુ તેનાથી શુ ફાયદા થાય છે તે પાન ખાવા વાળા વ્યકતિ ક્યારેય જાણતા હોતા નથી. પરંતુ આજે અમે તમને મીઠું પાન ખાવાના ફાયદા વિશે જણાવીશું.

મીઠું પાન ત્રિદોષનાશક, બળતરા, રુચિકર, પાચક, દમ, અવાજ બેસી જવો, પેટનો દુખાવો, ભૂખ લગાડનાર, કૃમિ અગ્નિદીપક, શરદી, ઉઘરસ વગેરે દૂર કરનાર છે. આ નાગરવેલનું પાન ખાવામાં તીખું, ગરમ, અને તીક્ષણ હોય છે જે શરદી, ઉધરસ, કફને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે.

આ ઉપરાંત જો તમને વધુ કફની સમસ્યા હોય તો સૌથી પહેલા એક ગ્લાસ પાણી ગરમ કરીને તેમાં બે થી ત્રણ નાગરવેલનાં પાન નાખીને ઉકાળો અને ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારીને ગાળી લેવું, થોડું હણાયું થાય ત્યારે તેમાં કે ચમચી મઘ મિક્સ કરીને પછી તે પાણી પીં જવું. આ ઉપરાંત સવાર અને સાંજ એક એક નાગરવેલનું પાન ખાઈ જવાથી પણ જામેલ કફને તોડીને બહાર નીકાળી દેશે.

દાંત માટે: આ પાનનું સેવન કરવાથી મોમાં રહેલ બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત મોમાં ખરાબ વાસ પણ દૂર કરે. દાંતના સડા ને દૂર કરવા માટે પાનમાં ઈલાયચી, જાવંત્રી, કપૂર મિક્સ કરીને સેવન કરવાથી દાંતના સડામાં રહેલ બેક્ટેરિયાનો નાસ કરે છે જેથી સડામાં રાહત મળે છે.

પાચન શક્તિ વઘારે: પાનમાં સોપારી પણ આવેલ હોય છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. માટે જો તમે જમ્યા પછી એક પાનનું સેવન કરો તો ખોરાકને નાના ટૂકડા કરીને ખોરાક પચાવવામા મદદ કરે છે. તે કબજિયાત અને પેટને લગતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

શ્વાસની તકલીફ દૂર કરે: જો તમને ચલતા કે દોડતા શ્વાસ લેવામાં તકલીફ હોય અને અસ્થમા કે દમ ની સમસ્યા રહેતી હોય તો તેને દૂર કરવા માટે નાગરવેલનાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે એક નાગરવેલનાં પાનમાં તુલસીના ત્રણ પત્તા, અડધી ચમચી લીલી હળદર, એક ચમચી દેશી મઘ, બે કાળામરી, એક ઈલાયચી આ બધાને મિક્સ કરીને ખાવાથી ગમેતેવો કફ હોય તે દૂર થશે. જેથી શ્વાસ લેવા પડતી તકલીફ અને દમના રોગમાં ફાયદો થશે.

હદય માટે: દરરોજ નાગરવેલનું મીઠું પાન ખાવું આપણા હદય માટે ખુબ જ લાભદાયક છે. જમ્યા પછી તેનું સેવન કરવાથી લોહીનું પરિવહન સારું થાય છે. આ ઉપરાંત હદય પર જામેલ અશુદ્ધિને દૂર કરવામાં મદદ કરે છે. માટે દરરોજ જમ્યાના 30 મિનિટ પછી નાગરવેલનું મીઠું પાન ખાવું જોઈએ. જે આપણા હદયને સ્વસ્થ રાખશે.

નાગરવેલનાં મીઠા પાનનું સેવન કરવાથી અવાજ બેસી ગયો હોય તે પણ ખોલવામાં મદદ કરે છે. જેથી આપનો અવાજ સુરીલો થઈ જાય છે. આ ઉપરાંત આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વઘારવામાં મદદ કરે છે. આ માટે દરરોજ રાત્રે જમ્યાના 30 મિનિટ પછી એક પાન નું સેવન કરવું જોઈએ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *