આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને એક એવા ચૂરણ વિષે જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ સારું છે.

માટે આજે આ ચૂરણ આપણે ધરે જ બનાવવાનું છે. જે બનાવવા માટે એક કિલો આદું લાવી દેવાનું છે. ત્યાર પછી તેના ટુકડા કરીને સુકાવા દેવાનું છે, ત્યાર પછી સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી લો, હવે આપણું ચૂરણ તૈયાર થઈ ગયું છે. આ ચૂરણને આપણે હવે એક કાચની બરણીમાં ભરી લેવાનું છે.

ત્યાર પછી આ ચૂરણનો આપણે ઉપયોગ કરવાનો છે. આ ચૂરણ આયુર્વેદિક ઔષઘીમાં સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે. આપણા શરીરના વાયુ, પિત્ત અને કફ ને શાંત રાખવામાં મદદ કરે છે. તે પુરુષોના વીર્ય માં વૃદ્ધિ કરે છે. માટે પુરુષો માટે આ ચૂરણ ખુબ જ ફાયદાકારક છે.

આદુંને સૂકવીને બનાવેલ આ ચૂરણને સુંઠના નામે ઓળખવામાં આવે છે. સુંઠનું આ ચૂરણ ઘણા રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. માટે આજે અમે તમને સુંઠના ચૂરણથી થતા ફાયદા વિષે જણાવીશું.

માથાના દુખાવા દૂર કરે: ઘણા લોકો કયાંક બહાર જઈને આવે ત્યારે વારે વારે માથાનો દુખાવો થતો હોય છે. તેવામાં સુંઠનું આ ચૂરણ ખુબ જ ફાયદાકારક છે. આ માટે એક વાટકીમાં એક ચમચી સુંઠનો પાવડર અને તેમાં બે થી ત્રણ ચમચી પાણી મિક્સ કરવાનું છે. ત્યાર પછી તેને થોડું ગરમ કરીને કપારમાં લગાવી દેવાનો છે. આમ કરવાથી માથાનો દુખાવો થોડી જ મિનિટોમાં દૂર થઈ જશે.

સાંઘાના દુખાવા માટે: ઘણા લોકોને નાની ઉંમરે જ પગના દુખાવા, ઢીચણ દુખાવા, કમરના દુખાવા જેવા અનેક જગ્યાએ દુખાવાની સમસ્યા થાય ત્યારે બે ચમચી સુંઠ પાવડર માં ત્રણ થી ચાર ચમચી સરસવનું તેલ મિક્સ કરીને ગરમ કરી પેસ્ટ તૈયાર કરો ત્યાર પછી આ પેસ્ટને સાંઘાના દુખાવા વાળી જગ્યાએ લગાવી દો, આમ કરવાથી સાંઘામાં થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહતનો અનુભવ થશે.

આ ઉપરાંત એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક અડઘી ચમચી સુંઠનું ચૂરણ મિક્સ કરીને પીવાથી સાંઘા દુખાવા કાયમી દૂર થઈ જાય છે. જેથી વઘતી ઉંમરે હાડકાની નબળાઈ દૂર થશે અને હાડકા મજબૂત રહેશે. માટે હકડાને આજીવન મજબૂત બનાવી રાખવા હોય તો આ ચૂરણને પાણીથી સાથે નિયમિત સેવન કરવું જોઈએ.

ઈમ્યુનિટી બનાવી રાખે: આદુંમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરદી, ખાંસી જેવા વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. માટે આ ચૂરણનું નિયમિત પણે કરવું જોઈએ, જેથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી અનેક રોગો સામે લડવાની તાકાત આપે છે.

વજન ઘટાડે: ગરમ પાણી સાથે આ ચૂરણનું સેવન કરવામાં આવે તો પેટમાં જામી ગયેલ બધી ચરબીને ઓગાળી દેશે. જેથી વજન ઘટાડવા માટે આ ચૂરણ એક રામબાણ સાબિત થશે.

કબજિયાત દૂર કરે: ક્વાજિયાત એક પેટને લગતી સામાન્ય સમસ્યા છે. જે ખોરાક ના પચવાના કારણે થતી હોય છે. માટે રોજે એક ચપટી આ પાવડરની દૂધ સાથે લેવાથી જુનામાં જૂની કબજિયાત પણ દૂર થઈ જશે. સાથે પાચન ક્રિયાને સુઘારીને પેટને સાફ રાખે છે.

આ ચૂરણ સેવન રોજે દૂઘ સાથે અથવા હૂંફાળા પાણી સાથે લેવાથી આપણા શરીર કેલ્શિયમની ઉણપ કાયમી માટે દૂર થઈ જશે જેથી હાડકાને લગતી સમસ્યામાંથી કાયમી છુટકાળો મળી જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *