આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજ ના સમય માં દરેક વ્યક્તિને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની પસંદ હોય છે. માટે અનેક વાનગીમાં આ એક વસ્તુ નાખીને સેવન કરવામાં આવે તો તેના અનેક ફાયદા પણ થાય છે. ઘણી એવી વાનગીઓ છે જેમાં સ્વાદ અને સુગંઘવાળી બનાવવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.

તે વસ્તુનું નામ કેસર(સેફ્રોન) છે. દૂઘ માં કેસર નાખીને પીવામાં આવે તો શારીરિક શક્તિમાં વઘારો થઈ શકે છે. દરેક લોકો જાણતા જ હશે કે કેસરની ખેતી ભારત, ઈટાલી, ઈરાન, ચીન, સ્પેન, તુર્કીસ્તાનમાં મોટાભાગે થતી હોય છે. કેસર વિશ્વનું અમૂલ્ય વૃક્ષ છે. ભારતમાં કેસરનું ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. આજે અમે આ આર્ટિકલમાં દૂઘમાં કેસર નાખીને પીવાથી થતા ફાયદા અને બનાવવાની રીત વિશે જણાવીશું

આયુર્વેદિક અનુસાર સેફ્રોનનો ઉપયોગ કરવાથી પેટને લગતી સમસ્યામાં ફાયદાકારક માનવામાં આવે છે. પેટમાં દુખાવો, અપચો અને પેટમાં મચકોડ વગેરે સમસ્યાથી કેસર છુટકાળો અપાવે છે. માટે રાત્રે સુતા પહેલા દૂધમાં કેસર નાખીને પીવાથી પેટને લગતી સમસ્યા દૂર થાય છે.

શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળી હોય છે. જે સેફ્રોન ક્રોકસ સેટ્ટીવમ નામના વૃક્ષની નાની નાજુક પાંખડીઓમાં આવેલી હોય છે. કેસરમાં કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન જેવા તત્વો મળી આવે છે. જે શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ચંદન અને કેસરને મિક્સ કરીને ઘસી દો. આ પેસ્ટનો માથા પર લેપ લાગવાથી મગજ એકદમ શાંત થઈ જાય છે. અને મગજને રિલેક્સ કરે છે. આ લેપને લાગવાથી મગજ તેજ એટલે કે તેજસ્વી બની જાય છે.

કેસર નો ઉપયોગ દરેક મહિલાઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ઘણી વખત મહિલાઓમાં અનિયમિત માસિક ની સમસ્યા હોય કે ગર્ભાશયમાં સોજો આવ્યો હોય તે સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે. માટે આ સમસ્યા હોય તો દરરોજ રાત્રે એક ગ્લાસ દૂઘ ગરમ કરીને તેમાં કેસર નાખીને સેવન કરવું જોઈએ.

પેઢામાં નીકળતું લોહી અને પેઢામાં આવેલ સોજોને કેસર મટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત મોઢામાં રહેલ બેક્ટેરિયાને પણ દૂર કરવામાં મદદ કરે છે. શરીરમાં બ્લેક ત્વચામાં નિખાર લાવવા માટે મદદ કરે છે. માટે દૂઘ અને કેસરનું સેવન કરવું જોઈએ.

બાળકોને ફલૂ અને શરદીની સમસ્યા હોય તો કેસર વાળું દૂઘ પીવડાવાથી શરદી એ ફલૂ માં રાહત મળે છે. દૂઘ અને કેસરનું સેવન કરવાથી કામ શક્તિ એટલે કે શારીરિક શક્તિમાં વઘારો કરે છે.

આ ઉપરાંત મૂત્રાશય, લીવર, મગજ અને આંખો માટે કેસર દૂઘ લાભદાયક છે. કેસરમાં બળતરા વિરોઘી ગુણઘર્મો રહેલા છે. આ ઉપરાંત તે મગજ અને નર્વસ સિસ્ટમને દૂર કરવામાં મદદ કરે છે. માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ કેસર વાળું દૂઘનું સેવન કરવું જોઈએ.

વાળની સમસ્યા દૂર કરવા માટે નારિયેળના તેલમાં કેસર નાખીને ગરમ કરો અને ઠંડુ થઈ જાય પછી તે તેલથી 10 મિનિટ સુઘી માથાના વાળના મૂળમાં માલિશ કરવી. આ રીતે ઉપયોગ કરવાથી માથામાં ખરતા વાળ દૂર થઈ જશે અને વાળને મજબૂત કરવામાં મદદ કરશે.

કેસર વાળું દૂઘ બનાવવાની રીતે: સૌથી પહેલા એક પેન માં એક ગ્લાસ દૂઘ લઈ લો, તેને ગેસ પર ગરમ કરવા મૂકી દો, હવે તેમાં એક કે બે રેશા કેસર ના નાખો અને 3-4 મિનિટ દૂઘને ગરમ થવા દો પછી ગેસ ને બંઘ કરીને એક ગ્લાસમાં લઈને રાત્રે ઊંઘવાના 30 મિનિટ પહેલા પી લેવું. આ કેસરવાળું દૂઘ પીવાથી શરીરની અનેક તકલીફ દૂર કરી દેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *