ઉનાળાની ગરમીની સીઝનમાં આપણે ખાટા મીઠા ફળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બઘા ફાયદા થાય છે, ફળો હંમેશા માટે સ્વાસ્થ્ય ને લાભદાયક જ હોય છે, માટે દરેક સીઝનમાં મળી આવતા ફળો ખાઈ લેવા જોઈએ જે સ્વાસ્થ્ય માટે હિતકારક સાબિત થાય છે.
આ માટે આજે અમે તમને એવા ફળ વિષે જણાવીશું જેને ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વઘશે અને ગરમીથી શરીરને ઠંડક પણ આપશે. આ માટે આપણે જે ફળ ખાવાનું છે તેનું નામ મોસંબી છે, જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.
નાના વ્યક્તિથી લઈને મોટા દરેક માટે આ ફળ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે, આ એરક એવું ફળ છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી નો ખજાનો મળી આવે છે, જે ઉનાળામાં થાક અને કમજોરીનો અહેસાસ થવા દેતી નથી અને શરીરને તરોતાજા રાખે છે.
મોસંબીમાં મળી આવતા તત્વોની વાત કરીએ તો કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, સોડિયમ, વિટામિન-ઈ, વિટામિન-એ, વીટામીન-સી જેવા ખનીજ તત્વો સારી માત્રામાં મળી આવે છે. જે આપણા શરીરના દરેક અંગો માટે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે.
મોસંબી ફળ એવું છે જેને ખાવાની સાથે જ બીમાર પડેલ વ્યક્તિ દોડવા લાગે છે, માટે આજે અમે તમને મોસંબી ખાવાના સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું, તમને જાણાવી દઉં કે મોસંબી ખાવાથી માથાથી લઈને પગની પાણી સુઘીના બઘા રોગોમાં ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
જયારે પણ બીમાર પડય હોય શરીરમાં અશક્તિ થઈ ગઈ હોય ત્યારે આ એક ફળ ખાઈ લેવું જોઈએ, કારણકે આ ફળ વિટામિન-સી રહેલ છે જે શરીરમાં રહેલ બીમારી સામે લડીને શરીરમાં ઈમ્યુનિટીને વઘારશે અને શરીરમાં રહેલ કમજોરીને દૂર કરશે.
કોઈ પણ ખોરાકને ઝડપથી પચાવવા માટે આપણી ડાયજેશન સિસ્ટમ સારી હોવી જરૂરી છે, માટે ફાયબરથી ભરપૂર આ એક ફળ ખાઈ લેવાથી ડાયજેશન સિસ્ટમમાં સુઘારો કરે છે જેથી આપણી પાચનક્રિયા તેજ થાય છે અને ખોરાકને ઝડપથી પચાવીને પેટને લગતી કબજિયાત અને અપચાની સમસ્યાથી દૂર રાખે છે.
આ એક એવું ફળ છે જે ખાઈ લેવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોને ખેંચીને બહાર ફેંકી દે છે, જેથી આપણા શરીરમાં લોહી પણ શુદ્ધ રહે છે અને આપણા શરીરને અનેક વાયરલ બીમારીથી થતા રોગોથી બચાવી રાખે છે. ગળામાં કફની સમસ્યા હોય તો મોસંબી ખાઈ લેવાથી કફને પાતળો કારિણે તોડીને ગળફા વાતે બહાર નીકાળી દેશે.
આ ફળમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં હોય છે જેથી હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત આંખોના સારા સ્વાસ્થ્ય માટે પણ આ એક ફળ ખુબ જ ફાયદાકારક છે, કારણકે આ ફળમાં મળી આવતું વિટામિન-એ આંખોની રોશની વઘારવામાં મદદ કરે છે. માટે વધતી ઉંમરે આંખોનું તેજ બનાવી રાખવા આ ફળ ખાવું જોઈએ.
આ ફળમાં ખુબ જ ઓછી કેલરી મળી આવે છે આ ઉપરાંત આ ફળમાં ફાયબર પણ હોય છે જેથી તેને ખાવાથી વધારે ભૂખ લગતી નથી અને વધારાની ચરબીના થર જામી ગયા છે તેને પણ બરફના જેમ ઓગાળીને વજન ને કંટ્રોલમાં લાવી દેશે.
બ્રેસ્ટ કેન્સર, સ્કિનની કેન્સર હોય તેવા દર્દી આ ફળ ખાઈ લે તો કેન્સરના વધતા કોષોને અટકાવે છે અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ ફળને ખાઈ લેવાથી સ્કિનમાં ચમક આવે છે, અને સ્કિન ને હેલ્ધી બનાવી રાખે છે, માટે રોજે આ એક ફળ ખાઈ લેવાથી ચહેરા પર ખીલ, ડાઘ, કરચલી રહેતી નથી જેથી લાંબા સમસ્યા સુઘી જવાન અને સુંદર દેખાવામાં મદદ કરે છે.
આજના સમયમાં સૌથી મોટી સમસ્યા વાળની હોય છે, આ માટે વાળની સમસ્યાને દૂર કરવા માટે મોસંબીનો રસ નીકાળી તેમાં દેશી મઘ ઉમેરીને વાળના મૂળમાં અને વાળમાં લગાવી 20 મિનિટ પછી વાળને ઘોઈ લેવા, આમ કરવાથી વાળ ખરતા અટકી જશે અને વાળ મજબૂત અને લાંબા થશે.
ઉનાળામાં મોસંબીને ખાવી જોઈએ આ ઉપરાંત તેનો જ્યુસ બનાવીને પીવાથી પણ ઉનાળામાં શરીરને ઠંડક મળશે અને ગરમીથી બચાવશે. ઉનાળામાં આ ઈન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે એક મોસંબી ખાઈ લેવી જોઈએ.