આજે અમે આ આર્ટિકલમાં શરદી અને ઉઘરસ ને મટાડનાર બામ વિશે જણાવીશું. બામ નો ઉપયોગ કરીને શરદી, ઉઘરસને તો મટાડે જ છે આ ઉપરાંત તે ઘણી રીતે ઉપયોગમાં આવે છે.
શરદી, ઉઘરસ મટાડવા માટે જે બામ વાપરીએ છીએ તે બામ નું નામ વિક્સ બામ છે. તમે વિકાસનો ઉપયોગ કર્યો જ હશે એટલે દરેકના ઘરે ખુબ જ સરળતાથી વિકસ બામ મળી જ રહેશે. તો ચાલો જાણીએ વિક્સ બામથી થતા ફાયદા વિશે.
1.ચહેરા ના ખીલ: જો તમને ચહેરા પર ખીલ થવાનું શરુ થઈ ગયું હોય તો તમે વિક્સ બામનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે માત્ર જ્યાં ખીલ થયો હોય ત્યાં વિક્સ બોમ લગાવાથી ખીલ ઘીરે ઘીરે મટી જાય છે.
2.મચ્છરોથી બચવા: જો તમે મચ્છરોથી ખુબ જ પરેશાન થઈ ગયા છો તો તમે હાથ અને પગમાં વિક્સ બામ લગાવી દેશો તો તેની સુગંઘથી મચ્છર તમારા નજીક આવશે પણ નહિ અને બીમાર પડવાથી બચી શકાશે.
3.ચહેરા પરના ડાઘ દૂર કરવા: જો તમારા ચહેરા પર કાળા ડાઘ પડી ગયા છે અને ચહેરો ખરાબ લાગે છે તો ત્યાં વિક્સ બોમ લાગવાથી ડાઘ ઘીરે ઘીરે દૂર થઈ જશે. અને ચહેરો સુંદર દેખાવા લાગશે.
4.જીવજંતુઓથી બચવા: વરસાદની ઋતુમાં વઘારે પ્રમાણમાં જીવજંતુઓ આવતા હોય તો તમે ધૂપ કરો અને તેમાં વિક્સ બામ નાખો જેથી તેની સુગંઘ થી જીવજંતુઓ દૂર રહે છે.
5.ફાટેલા હાથ-પગ માટે: આ સમસ્યા મોટા ભાગે શિયાળામાં વધુ થતી હોય છે માટે જો તમને હાથ કે પગમાં ફાટી ગયા હોય તો ત્યાં વિક્સ બામ લગાવી દો. તમારી ફાટેલી એડીમાં વિક્સ બામ લગાવીને પછી મોજા પહેરી દેવા અને સવારે ઘોઈ દેવા. આવું થોડા દિવસ કરવાથી ફાટેલી એડી દૂર થાય છે.
6.પાલતુ જાનવરોથી બચાવે: જો તમારા ઘરે પણ કોઈ પણ પાલતુ જાનવર હોય અને તે ખુબ જ પસંદ હોય છે પરંતુ તે ઘણી વખત પરેશાન કરતુ હોય છે. ત્યારે તમે વિકસ બામને તમે હાથમાં લગાવી દો. જેથી તેની સુગંઘથી પાલતુ જાનવર તમારા નજીક આવશે નહિ.
7.શરીરમાં દુખાવો: જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થયો હોય તો ત્યાં વિક્સ બામ લગાવાથી જલ્દીથી રાહત થાય છે.