આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો આપણે સારી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. જયારે આપણી ઊંઘ પુરી નથી થતી ત્યારે બીજા દિવસે આપણા શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય છે. આ ઉપરાંત ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

ઊંઘ ના આવવાના ઘણા બઘા કારણો છે. આપણી કેટલીક ખરાબ આદતોના કારણે આપણી સારી ઊંઘ મેળવી નથી શકતા. તમે પણ જાણતા હશો કે હાલના ટેક્નોલોજી યુગમાં સૌથી વઘારે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ થતો હોય છે.

રાત્રે મોડા સુઘી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી આપણે જયારે ઊંઘવા જઈએ છીએ ત્યારે આપણે આમ તેમ પડખા ફરતા રહીએ છીએ તેમ છતાં પણ ઊંઘ આવતી નથી. માટે સારી ઊંઘ લાવવા માટે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ સુવાના એક કલાક પહેલા બંઘ કરી દેવો જોઈએ. જેથી ખુબ જ સારી ઊંઘ મેળવી શકાય છે.

સારી ઊંઘ લાવવા માટે આરોગ્ય નિષ્ણાત રાત્રીના ભોજન પછી ચાલવાની સલાહ આપે છે. ચાલવાથી સ્વાસ્થ્યને ઘણા બઘા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. ચાલવાથી શરીરમાં શારીરિક પ્રવૃતિનો વઘારો થાય છે. ચાલવાથી મૂડમાં સુઘાર આવે છે સાથે તણાવ અને ચિંતા માંથી મુક્તિ મળે છે.

જો તમે જમ્યા પછી ચાલવાની આદતને અપનાવશો તો ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવામાં મદદ મેળવી શકાય છે. માટે રોજે જમ્યાના થોડા સમય પછી 30 મિનિટ ચાલવું જોઈએ. સારી ઊંઘ લાવવા માટે ચાલવાથી થતા ફાયદા વિષે જણાવીશું.

ભોજન કર્યા પછી ચાલવાથી આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે. ચાલવાથી આપણા શરીરના દરેકે અંગો સારી રીતે કામ કરે છે. ચાલવાથી મગજમાં સારા વિચારોનો ઉત્પન્ન થાય છે. શરીરને સ્વસ્થ રાખવું હોય તો ઓછામાં ઓછી 6-7 કલાકની ઘસઘસાટ ઊંઘ લેવી જ જોઈએ.

રાત્રીના સમયે ઊંઘ સારી લેવી હોય તો હંમેશા રાત્રિનું ભોજન હળવું જ લેવું જોઈએ. વઘારે ભારે ખોરાક લેવાથી પચવામાં પણ ઘણો સમય લાગી શકે છે. ઘણી વખત ખોરાક ના પચવાના કારણે તે ખોરાક સડવા લાગે છે. જેના કારણે કબજિયાત, ગેસ, એચઓની સમસ્યા થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે.

રાત્રિનું ભોજન હળવું લીધું હોય કે ભારે લીધું હોય તો ભોજન કર્યાના થોડા સમય પછી 30 મિનિટ ચાલવું જોઈએ. જો તેનાથી વઘારે સમય ચલાય તો સૌથી સારું છે. પરંતુ ઓછામાં ઓછું 30 મિનિટ તો ચાલવાનું જ છે. જેનાથી આપણી મંદ પડી ગયેલ પાચનશક્તિ મજબૂત થઈ જાય છે.

પાચનક્રિયા સારી થવાથી આપણે ખાઘેલ ખોરાક સરળતાથી પચી જાય છે. જેના કારણે આપણું પેટ સાફ રહે છે. જેથી કબજિયાત જેવી પેટને લગતી બીમારીથી બચી શકાય છે. તમને જણાવી દઉં કે રોજે ચાલવાથી ઊંઘ લાવવા માટેના હોર્મોન્સમાં વઘારો કરે છે. જેના કારણે આપણે સારી ઊંઘ મેળવી શકીએ છીએ.

ચાલવાથી આપણા શરીરની શારીરિક કમજોરી અને માનસિક તણાવ માંથી કાયમી છુટકાળો અપાવે છે. જે સારી ઊંઘ લાવવા માટે ખુબ જ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. સારી ઊંઘ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.

ઘણા લોકોને રટરીના ભોજન પછી સુઈ જવાબની ટેવ હોય છે. જેના કારણે વજનમાં વધારો થાય છે. હાલના સમયમાં વઘારે વજન ખુબ જ મોટી સમસ્યા થઈ છે. વજન વઘારે હોવાથી ઘણા બઘા રોગ આપણા શરીરમાં થતા હોય છે. જેમ કે, ડાયાબિટીસ, હૃદય રોગ, સાઘાના દુખાવા, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીનો સામનો કરવો પડતો હોય છે.

જો તમે રોજે રાત્રીના ભોજન પછી ચાલવાની આદત પાડી દો તો મેટાબોલિઝમ રેટમાં વઘારો થાય છે જેના કારણે આપણી ચયાપચયની ક્રિયામાં સુઘારો આવે છે. જેના કારણે આપણી પેટની ચરબી ઓછી થાય છે અને વજન પણ ઘટે છે સાથે સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે.

સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવા માટે આપણે ભોજન પછી ચાલવાની આદતને રોજિંદા જીવનમાં અપનાવવી જોઈએ. સાથે રાત્રિનું ભોજન હમેશા હળવી અને વધારે તીખું, તરેલું અને વઘારે મસાલા વાળા આહારનું સેવન ઓછું કરવું જોઈએ. રાત્રે સુતા પહેલા 5 મિનિટ તમારે ઘ્યાન મુદ્રામાં બેસીને શ્વાસ ઊંડો લઈને બહાર નીકાળવાનો છે. આ ઘ્યાન મુદ્રા કરતી વખતે તમારું ઘ્યાન માત્ર શ્વાસ પર જ રહેવું જોઈએ. જેથી તામર મગજના બઘા વિચારો દૂર થઈ જશે અને તમને ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *