સારી ઊંઘ માનવ શરીર માટે ખુબ જ આવશ્યક છે, પરંતુ વ્યક્તિ ના જીવનમાં વધુ પડતા કામના ટેન્શન ના કારણે ખુબ જ તણાવ માં રહેતો હોય છે જેના પરિણામે વ્યક્તિ સારી રીતે સુઈ શકતો નથી. સારી ઊંઘ લેવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
વ્યક્તિની વ્યસ્ત જીવન શૈલીમાં ફેરફાર થવાના કારણે પોતાના શરીર પર પૂરતું ઘ્યાન આપતા નથી. સારી ઊંઘ લેવા માટે વ્યક્તિનું મન એકદમ શાંત રહેવું જોઈએ. જેથી વ્યક્તિ સારી અને ઘસઘસાટ ઊંઘ લઈ શકશે.
સારી ઊંઘ લાવવા માટે આપણી જ કેટલીક ખરાબ કુટેવ છે જેને જીવનમાં બદલવાથી સારી ઊંઘ ઉપરાંત શરીરને પણ ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. સારી ઊંઘ લેવાના કારણે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આજે અમે તમને સારી ઊંઘ લાવવા માટે શું કરવું જોઈએ તેના વિષે વધુ જણાવીશું.
રાતે હળવો ખોરાક લેવો: હળવો ભોજન લેવાથી તે ખોરાક પચવામાં ખુબ જ આસાની રહે છે, ખોરાક પચવાથી પેટ ફુલતું નથી અને મોટાપા જેવી સમસ્યાથી બચાવી રાખે છે. હળવો ખોરાક લેવાથી રાતે સુવાના સમયે સારી ઊંઘ આવે છે.
ભોજન પછી ચાલવું: ચાલવું શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે રોજે ભોજન પછી ચાલવું જોઈએ, ચાલવાથી પાચનક્રિયા માં સુઘારો થાય છે અને ખોરાકને પચાવે છે. જેના કારણે રાતે સૂતી વખતે સારી ઊંઘ આવે છે.
શરીર હાઈડ્રેટ રાખો: શરીરને હાઈડ્રેટ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. મગજથી લઈ ને પગ સુઘીના દરેક અંગોને પાણી ખુબ જ જરૂરી છે આ માટે પાણી વધુ માત્રામાં પીવું જોઈએ, જે ઊંઘ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે અને સારી ઊંઘ લાવે છે.
ઘ્યાન મુદ્રા કરવી: વઘારે પડતા માનસિક તણાવ અને ટેન્સન ના કારણે ઊંઘ આવતી નથી તો સુવાના 10 મિનિટ પહેલા ઘ્યાન મુદ્રા કરવી જોઈએ. આ માટે રૂમ માં બેસીને 10 મિનિટ આંખો બંઘ કરી ઘ્યાન કરવું જોઈએ જેના કારણે તણાવ અને ટેન્સન ઓછું થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ખુબ જ સારી ઊંઘ આવે છે.
રાતે સારી ઊંઘ લાવવી હોય તો સુવાના પહેલા સાવર લેવું જોઈએ સાવર લેવાથી શરીરનો બધો જ થાક ઉતરી જાય છે અને પથારીમાં સૂવાથી સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત સુવાના 30 મિનિટ પહેલા મોબાઈલ, ટીવી કે લેપટોપ ન ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને સૂતી વખતે મોબાઈલ જોડે લઈને ના સૂવું જોઈએ.
જો તમે પણ સુવામાં મુશ્કેલી પડે છે અને મોડા સુઘી ઊંઘ આવતી નથી અને દવાઓ ખાઈને સુતા હોય તો આ રીતે જીવનમાં બદલાવ લાવીને જોવો સારી અને ઘસઘસાટ ઊંઘ મેળવી શકાય છે.