આપણા રસોડામાં એવી ઘણી બધી ઔષઘી વસ્તુઓ મળી આવે છે જે શરીરના સ્વાસ્થ્ય ફાયદાકારક છે, રસોડામાં રહેલ તેવી જ એક વસ્તુ વિષે જણાવીશું જેને રોજે રાતે શેકીને ખાઈ લેવાથી શરીરને જે અદભુત ફાયદા મળશે તે જાણીને ચોકી જશો.
રસોડામાં રહેલ ઔષઘી વસ્તુનું નામ લસણ છે. લસણની તાસીર ગરમ છે તેનો ઉપયોગ કરીને ઘણી બધી નાની મોટી બીમારી દૂર કરી શકાય છે. આ માટે રોજે રાતે ભોજન કર્યાના એક બે કલાક પછી અથવા સુવાના 30 મિનિટ પહેલા એક શેકીને ખાઈ લેવાની છે.
લસણ લોહીને પાતળું કરી લોહીના પરિવહન ને સુધારવામાં મદદ કરે છે. આજે શેકેલા લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. આ શેકેલા લસણ રોજે રાતે 25 દિવસ સુધી ખાવામાં આવે તો લોહીમાં રહેલ સુગરનું સ્તર ઓછું થશે અને સુગર લેવલ નિયત્રંણમાં રહેશે.
જેના કારણે ડાયબિટીસ ધીરે ધીરે ઓછી થવા લાગશે. માટે ડાયબિટીસ હોય તેવા દર્દી માટે શેકેલું લસણ ખુબ જ ફાયદાકારક છે. લસણ માં ઘણા બધા ગુણ મળી આવે છે તેનું તેલ બનાવીને કમર કે ઢીચણ ના દુખાવા પર લગાવામાં આવે તો દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળે છે.
માનવ શરીરમાં 72 હજાર નસો આવેલી હોય છે, તેમાંથી કોઈ પણ એક નસ માં દબાણ આવે અથવા તો લોહી ગંઠાઈ જવાના કારણે નસો બ્લોક થઈ જાય તો લસણ ની એક કે બે કળી ખાઈ લેવાથી નસો ખુલી જાય છે.
મગજની નસો, હાથપગ ની નસો, હૃદયની નસો, કમરની નસો, ગરદન ની નસો ની સુકાઈ ગઈ હોય કે લોહી જાડું હોવાના કારણે જામી ગઈ હોય તો તે લોહીને છૂટું કરીને લોહીના પરિવહન માં આવતા અવરોધને અટકાવે છે અને બ્લોક થયેલ નસોમાં પરિવહન સુધારે છે.
શરીરમાં કોઈ પણ નસોને ખોલવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે પરંતુ લસણ નો આ ઉપાય કરવાથી ઓપરેશન વગર જ નસોને ખોલવામાં ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આજના
સમયમાં નસો બ્લોક થવાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે લોહીનું પરિવહન અટકી જવાના કારણે આજે લોકો હાર્ટ અટેક થી મૃત્યુ પણ પામતા હોય છે જે મુખ્ય કારણ છે. લસણ નું નિયમિત સેવન કરવાથી હૃદય ફેફસા, કિડની જેવા દરેક અંગો સ્વસ્થ રહે છે.
આજે મોટાભાગે લોકો બહારના તળેલા અને તીખા અને ચરબી યુક્ત ખોરાક ખાતા હોય છે જેના કારણે ચરબીના સ્તરમાં વધારો થાય છે અને તે શરીરમાં ઘણી બીમારી ઉત્પન્ન કરી શકે છે માટે ચરબીને બનતા જ અટકાવવા માટે થોડા દિવસ શેકેલી લસણ ની કળી જોઈએ.
જે પેટની ચરબી, કમરની ચરબી, સાથળની ચરબી ને પણ ઓગાળવામાં ખુબ જ અસરકારક છે. એનું નિયમિત સેવન કરવાથી સાંધા ના દૂર થાય છે કારણકે લસણ ની કળી ખાવાથી શરીરમાં જે કેલ્શિયમ જાય છે જેને શોષી લે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થતી નથી અને સાંધા અને હાડકાના દુખાવા દૂર થાય છે.
જો તમે પણ લસણ ની કળીનું સેવન કરો છો તો એક કે બે થી વધુ એક દિવસમાં ના ખાવી જોઈએ. માટે કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન ના કરવું જોઈએ, દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે માટે કોઈ પણ ઉપાય કરતા પહેલા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.