ખાંડનો ઉપયોગ આપણે બધા લોકો કરતા હોઈએ છીએ પરંતુ મોટે ભાગે આપણે સફેદ ખાંડનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ. કોઈ પણ મીઠી વાનગી બનવાનું થાય ત્યારે આપણે સફેદ ખાંડનો જ ઉપયોગ કરીએ છીએ.

આપણામાંથી મોટાભાગના લોકો ફક્ત સફેદ ખાંડ વિષે જ જાણે છે [પરંતુ તમને જણાવીએ કે ખાંડ બે પ્રકારની હોય છે. એક સફેદ ખાંડ અને બીજી બ્રાઉન સુગરનો સમાવેશ થાય છે. બ્રાઉન સુગર ને ગોળ અને સફેદ ખાંડ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ કારણોસર તેનો રંગ ભુરો હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે.

બ્રાઉન સુગરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી જેવા ગુણધર્મો છે. બ્રાઉન સુગર સફેદ ખાંડ કરતાં ઓછી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તેથી, બ્રાઉન સુગર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ બ્રાઉન સુગરના સ્વાસ્થ્ય લાભો.

વજન ઘટાડવા માટે: સફેદ ખાંડની તુલનામાં બ્રાઉન સુગર ઓછી મીઠી હોય છે. ગોળ મેટાબોલિક રેટ ઝડપથી વધારે છે. તે ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. તેથી તે તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ વધુ પડતું ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે જે તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે.

ત્વચા સંભાળ માટે જરૂરી: બ્રાઉન સુગરમાં વિટામિન બી હોય છે. તે વૃદ્ધત્વની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. બ્રાઉન સુગરમાં ખનિજ તત્વો જોવા મળે છે જે ત્વચાના કોષો માટે ખુબજ ફાયદાકારક છે. તમને જણાવીએ કે ત્વચાને ચમકાવવા માટે તમે બ્રાઉન સુગરનો ઉપયોગ સ્ક્રબર તરીકે પણ કરી શકો છો.

અસ્થમાની સારવાર માટે: તમને જણાવીએ કે અસ્થમાના દર્દીઓ સફેદ ખાંડને બદલે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકે છે. બ્રાઉન સુગરમાં રહેલા એન્ટિ-એલર્જિક ગુણધર્મો તમને અસ્થમાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

બ્રાઉન સુગર માસિકમાં દુખાવો ઓછો કરવા માટે: બ્રાઉન સુગરમાં વિટામિન બી ઉપરાંત પોટેશિયમ પણ ભરપૂર હોય છે. પોટેશિયમ સ્નાયુઓને આરામ આપવાનું કામ કરે છે. પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.

પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે: જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેવા લોકો માટે બ્રાઉન સુગર ફાયદાકારક છે. તે પાચનશક્તિને મજબૂત બનાવી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે, તમે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુ સાથે નાની ચમચી બ્રાઉન સુગરનું સેવન કરી શકો છો.

એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ કરી શકાય છે: બ્રાઉન સુગર બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે.આ ઉપરાંત તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. આ ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેથી તમે તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ તમે કરી શકો છો.

જો તમે પણ સફેદ ખાંડ નો ઉપયોગ વધુ કરતા હોય તો હવેથી બ્રાઉન સુગરનો ઉપયોગ કરવાનું શરુ કરશો. એક વાતનું ધ્યાન રાખો કે ખાંડ શરીર માટે નુકશાનકારક છે જેથી તેનો વધુ ઉપયોગ ન કરવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *