હેલ્થ એક્સપર્ટના મતે છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ રોજ એક ગ્લાસ છાશ પીઓ છો, તો તે તમને સ્વસ્થ તો રાખે જ છે પરંતુ ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. શરીરમાં ગરમી વધુ હોય અને ગરમી ઓછી કરવી હોય તો છાશનું સેવન અવશ્ય કરવું જોઈએ.

આ ઉપરાંત શરીરને ઠંડુ કરવા પણ છાશ ફાયદાકારક છે. છાશ પીવાથી શરીરને જરૂરી પોષણ મળે છે, કારણ કે તેમાં વિટામિન A, B, C અને E જેવા વિટામિન્સ અને મિનરલ્સ તેમજ કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને પોટેશિયમ હોય છે. બપોરે છાશનું સેવન કરવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો છાશ નું સેવન સીધું કરે છે જયારે ઘણા લોકો ખોરાક સાથે છાશનું સેવન કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે, જો તમે જમ્યાના 5 થી 10 મિનિટ પછી છાશ પીશો તો તેનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. ભોજન સાથે છાશ પીવાને બદલે જમ્યા પછી થોડીવાર પછી છાશ પીવી વધુ ફાયદાકારક છે . આ લેખમાં, તમને જમ્યા પછી છાશ પીવાના ફાયદા વિષે જણાવીશું.

કબજિયાતની સમસ્યા થતી નથી: કબજિયાતનું કારણ ખોરાકનું યોગ્ય પાચન ન થવું છે. જ્યારે તમે જમ્યા પછી છાશનું સેવન કરો છો, તો તે પાચનને સુધારવામાં મદદ કરે છે. છાશ પીવાથી આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા વધે છે, એસિડિટીથી છુટકારો મળે છે અને કબજિયાત અટકાવે છે.

શરીરને ડિટોક્સિફાય કરે છે: જમ્યા પછી છાશનું સેવન કરવાથી ખોરાકને સારી રીતે પાચન કરવામાં અને તેને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે, કારણ કે તેમાં રિબોફ્લેવિન હોય છે. તે તમારા લીવરના કાર્યને સુધારે છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

પેટનું ફૂલવું દૂર કરે છે: ઘણા લોકોને જમ્યા પછી પેટ ફૂલવાની સમસ્યા હોય છે. પરંતુ જમ્યા પછી છાશનું સેવન કરવાથી પેટનો ગેસ અને પેટનું ફૂલવું ઓછું થાય છે અને પેટનું ફૂલવું દૂર થાય છે.

ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ સુધારે છે: જો તમે જમ્યા પછી છાશ પીઓ છો, તો ખોરાકમાં રહેલા પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે. જેના કારણે શરીરને પૂરતું પોષણ મળે છે અને શરીરમાં પોષક તત્વોની કમી નથી રહેતી.

બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે: જમ્યા પછી છાશ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. ઉપરાંત, છાશમાં બાયોએક્ટિવ પ્રોટીન હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે .

અહીંયા જણાવેલ છાશના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે બપોરના ભોજન પછી છાશ પીવી સૌથી વધુ ફાયદાકારક છે. રાત્રિભોજન અને નાસ્તા પછી છાશનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે છાશ ઠંડકની અસર કરે છે અને આ સમય દરમિયાન તમારી પાચનશક્તિને નબળી પાડે છે. જો તમે આ સમય દરમિયાન છાશ પીઓ છો, તો તેનાથી શરીરમાં કફ વધી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *