આપણી આસપાસ ઘણા લોકો હોય છે જે વજન ઘટાડવા કે વજન વધારવા ઘણી બધી મહેનત કરતા હોય છે. પરંતુ વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલ કરવા માટે ડાયટ અને વર્કઆઉટ પર ખુબ જ ધ્યાન આપવું પડે છે. સ્થૂળતા ઉપરાંત અન્ય ઘણી બીમારીઓ પણ બેદરકારીના કારણે જન્મ લે છે.

જો તમે પણ સ્થૂળતાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો તમારા ડાયટમાં કોબીજને ચોક્કસ સામેલ કરો. તેના સેવનથી સ્થૂળતા સહિત અન્ય ઘણી બીમારીઓમાં પણ ફાયદો થાય છે. તો આવો જાણીએ તેના વિષે.

હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે : તમને જણાવીએ કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ પડતા તણાવને કારણે થાય છે. આ સાથે જ પોટેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ માટે કોબીજનું સેવન શ્રેષ્ટ છે જેનું સેવન કરી શકાય છે. કોબીજમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

પોટેશિયમ રક્તવાહિનીઓને અવરોધવા દેતું નથી. આરોગ્ય નિષ્ણાતોના મત અનુસાર હાઈ બ્લડ પ્રેશરથી હૃદય રોગનું જોખમ વધી જાય છે. આ માટે કોબીજનું સેવન કરી શકાય છે. તેના ઉપયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.

વજન નિયંત્રણમાં રાખે છે : ઝડપથી વધતા વજનને નિયંત્રિત કરવા માટે કોબીજનું સેવન કરી શકાય છે. કોબીજમાં જોવા મળતા જરૂરી અથવા તો આવશ્યક પોષક તત્ત્વો પેટ માટે વરદાનથી ઓછા નથી. કોબીજનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી.

ફૂડ ચાર્ટ મુજબ 50 ગ્રામ કોબીજમાં માત્ર 12 કેલરી હોય છે. તેમાં 92% પાણી અને 2.5 ટકા ફાઇબર હોય છે. વધતા વજનને નિયંત્રિત કરવા માટે કોબીજને આહારમાં સામેલ કરી શકાય છે.

પાચનતંત્ર મજબૂત બને છે : જો તમે પેટની નાની મોટી બીમારીથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો કોબીજનું સેવન અવશ્ય કરો. કોબીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. ફાઈબર પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સાથે વારંવાર થતી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *