કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. શરીરમાં આ જરૂરી પોષક તત્વોની ઉણપને કારણે આપણા હાડકાં અને દાંત નબળા થવા લાગે છે. કેલ્શિયમ સ્નાયુઓને મજબૂત બનાવે છે. ચેતા કાર્ય અને ધબકારા નિયંત્રિત કરવા માટે કેલ્શિયમનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શરીરમાં આ જરૂરી પોષક તત્વોની ઉણપથી સંધિવા, ઓસ્ટીયોપોરોસીસ, સ્નાયુઓમાં ખેંચાણ, સ્નાયુઓની નબળાઇ, નખ ફાટવા, પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો, માથાનો દુખાવો, હતાશા અને અનિયમિત ધબકારાનું જોખમ વધે છે.

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ ખોરાકમાં દૂધ લેવાનું ટાળે છે. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે. પરંતુ તમે જાણો છો કે દૂધ સિવાય પણ ઘણા એવા ખોરાક છે જે શરીરમાં કેલ્શિયમની ઉણપને પુરી કરે છે.

આપણા શરીરને દરરોજ 1000 થી 1200 મિલિગ્રામ કેલ્શિયમ પુરુષોને જરૂર હોય છે, જ્યારે મહિલાઓને 1200 થી 1500 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે. શરીરની આ જરૂરિયાતને પૂરી કરવા માટે, આપણી પાસે ખોરાકમાં ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. તો ચાલો જાણીએ કે દૂધ સિવાય આપણે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ જે કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે.

સોયાબીનનું સેવન કરો: સોયાબીનનું સેવન કરીને કેલ્શિયમની ઉણપ સરળતાથી પૂરી કરી શકાય છે. 100 ગ્રામ સોયાબીનમાં 239 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. જો તમે દૂધ નથી પીતા તો તેના બદલે તમે સવારના નાસ્તામાં અથવા ખાવામાં સોયાબીનનું શાક લઈ શકો છો. સોયાબીનનું શાક પણ આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

આમળા ખાઓ: ઔષધીય ગુણોથી ભરપૂર આમળાના સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે. આમળામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે.

સફરજન ખાઓ: શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે રોજ સફરજનનું સેવન કરો. સફરજનનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.

લીલા શાકભાજી ખાઓ: શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો.કોલાર્ડ ગ્રીન્સનું શાક કેલ્શિયમનું પાવરહાઉસ છે. બ્રોકોલી, પાલક, સોયાબીન અને લીલા કઠોળના સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે.

રાગી અનાજનું સેવન કરો: અનાજમાં રાગી એક એવું અનાજ છે જે શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે. રાગીનો ઉપયોગ લોટ બનાવીને કરો. આ લોટની રોટલી ખાવામાં તો સ્વાદિષ્ટ તો લાગશે જ સાથે જ શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ પૂરી થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *