ઉનાળાની ગરમીની શરૂઆત થતા શરીરને ઠંડુ રાખવા માટે ઘણા બધા પીણા હોઈએ છીએ. ઉનાળામાં દરેક વ્યક્તિનું સીથી પ્રિય પીણું એટલે કે છાશ છે. જે શરીરને ઠંડુ રાખવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
જે નાના મોટા દરેક લોકોને ઉનાળામાં પીવી ખુબ જ ગમે છે. છાશ ને ભોજન પછી પીવામાં આવે તો તેના અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ જોવા મળે છે. માટે આજે અમે તમને ભોજન પછી છાશ પીવાથી થતા ફાયદો વિષે જણાવીશું.
બળતરામાં રાહત આપે: છાશ પીવાથી પેટમાં બળતરા, પેશાબમાં બળતરા રાહત મળે છે. માટે જયારે પણ આ સમસ્યાઓ થઈ હોય તેવું લાગે ત્યારે એક ગ્લાસ ભરીને છાશ માં એક ચપટી સિંધાલુ મીઠું નાખીને પી જવાનું છે, જેથી તમને કે જ દિવસમાં બળતામાં રાહત મળશે.
એસિડિટીમાં રાહત: આજના સમયમાં મોટાભાગના લોકોને બહારના તળેલા અને મસાલા વાળા તીખા ખોરાક ખાવાનું સૌથી વધુ ખાતા હોય છે જેના કારણે એસિડિટીની સમસ્યા ઉદ્ભવી શકે છે, માટે એસિડિટીને કાયમી દૂર કરવા માટે રોજે ભોજન પછી છાશ પીવી જોઈએ.
હાઈડ્રેટ રાખે: ઉનાળામાં સૌથી વધુ શરીમાં ડી હાઈડ્રેશનની સમસ્યા જોવા મળતી હોય છે માટે ઉનાળાનું અમૃત સમાન છાશ પીવી જોઈએ જેથી ગરમીના કારણે થતી ડિહાઈડ્રેશનથી બચાવી શરીરને હાઈડ્રેટ રાખે છે. શરીર હાઈડ્રેટ રહેવાથી ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહે છે.
પાચનક્રિયામાં સુઘારો કરે: અત્યારના સમયમાં મોટાભાગે લોકો એવા ભારે ખોરાક ખાઈ લેતા હોય છે અને તે પણ ભરપેટ ખાતા હોય છે જેના કારણે ખાધેલ ખોરાક પચવામાં ખુબ જ મુશ્કેલી થતી હોય છે, પાચન ના થવાના કારણે પેટને લગતી અનેક સમસ્યા થાય છે માટે આ પાચનક્રિયાને સુધારવા માટે ભોજન પછી એક ગ્લાસ છાશ પીવી જોઈએ જેથી ખોરાક પણ પચે અને પેટ પણ સારી રીતે સાફ થઈ જશે. જેથી કબજિયાત માંથી કાયમી છૂટકાળો મળશે.
રોજે ભોજન પછી એક ગ્લાસ છાશ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે, આ ઉપરાંત બ્લડપ્રેશરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે, અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં લાવવામાં મદદ કરે છે. કિડનીને સાફ કરવા માટે છાશ પીવી જોઈએ, કિડનીમાં પાથરી હોય તો છાશ પીવાથી પથરીના દુખાવામાં ઘણી રાહત મળે છે.
છાશ પીવાથી મૂડ ફ્રેશ રહે છે. જેથી તણાવ પણ ઓછો થાય છે. જેથી રોજે ભોજન પછી છાશ પીવી જોઈએ જે શરીરને માનસિક તણાવ અને ડિપ્રેશનથી છુટકાળો અપાવશે. છાશ પીવાના ખુબ જ સારા ફાયદા મેળવવા માટે રોજે ભોજન પછી એક ગ્લાસ માં સિંધાલુ મીઠું મિક્સ કરી પીવી જોઈએ, જે ઉનાળામાં શરીરને અંદરથી ACજેવું ઠંડુ રાખશે.