આજના સમયમાં લોકોને વધારે તળેલું અને તીખું ખાવાની સૌથી વધુ આદત હોય છે, જે ઘણી વખત આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પણ કરી શકે છે. તે વાત મોટા ભાગે દરેક વ્યક્તિ જાણતા હોય છે તેમ છતાં પણ ઘણા લોકો આ આદત ને સુધારવામાં નાકામ રહે છે.
વધારે તીખું મસાલે દાર અને તળેલું ખાવાથી છાતીમાં બળતરા જેવી સમસ્યા ઉભી થતી હોય છે, પરંતુ જયારે આપણે જાણે અજાણે આપણી ખાવાની ખોટી આદત અને બિન આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઈ લેવાથી બળતરાની સમસ્યા ઉભી થતી હોય છે.
છાતીમાં થતી બળતરાને દૂર કરવા માટે કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વગર આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુઓ મળી રહે છે જેનો ઉપયોગ કરીને છાતીમાં થતી બળતરાને ખુબ જ આસાનીથી દૂર કરી શકીએ છીએ, તો ચાલો છાતીમાં થતી બળતરાને કઈ રીતે દૂર કરવી તેના વિષે જાણીએ.
છાતીમાં થતી બળતરા દૂર કરવાના ઘરેલુ ઉપાય: જયારે પણ એવી કઈ વસ્તુ ખાઈ લેવાથી છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરી હલાવીને તરત પી જવાનો છે, આ પીણું પીવાથી છાતીમાં થતી બળતરા 10 મિનિટ માં જ દૂર થઈ જશે.
છાતીમાં થતી બળતરામાં ફુદીનો ખુબ જ ફાયદાકારક છે, આ માટે તાજા ફુદીનાના ત્રણથી ચાર પાન લઈ લેવા અને ત્યાર પછી તેને પીસીને પેસ્ટ તૈયાર કરો ત્યાર પછી તેમાં એક ચમચી દેશી મધ ઉમેરીને બરાબર હલાવીને પેસ્ટને ચાટી જવાનું છે. આ પેસ્ટ ખાવાથી તમને થોડા જ સમયમાં બળતરામાં રાહત મળશે.
અવાર નવાર જયારે છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્લાસ હૂંફાળું દૂધ ગરમ કરી લો ત્યાર પછી એમાં ત્રણ થી ચાર બદામ છીણીને નાખી દો. અને બરાબર હલાવીને પાંચ મિનિટ પછી પી જવાનું છે, આ દૂધ ભોજન 30 મિનિટ પછી પીવું. આ બદામ વાળું દૂધ પીવાથી મસાલે દાર અને તળેલું ખાવાથી છાતીમાં છાતીમાં બળતરા થતી હશે તે દૂર થઈ જશે.
છાતીમાં થતી બળતરામાં રાહત મેળવવા માટે કેમિનો ચા સૌથી બેસ્ટ માનવામાં આવે છે, કેમનીનો ચા ભોજન એક કલાક પછી પી શકાય છે, જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને છાતીમાં થતી બળતરામાં રાહત આપે છે.
વધારે તીખું અને મસાલેદાર વસ્તુઓ ખાઈ લેવાથી બાલરની સમસ્યા થાય ત્યારે એક આદુંનો નાનો ટુકડો મોંમાં મૂકી રાખવાનો છે જેથી તમને 15 મિનિટમાં જે બળતરાની સમસ્યા છે તેમાંથી રાહત મળશે. જો તમે પણ છાતીમાં થતી બળતરાથી રાહત મેળવવા માંગતા હોય તો ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ એ તમને ઉપરાંત જણાવેલ છે જે દરેક વસ્તુ તમને ખુબ જ સરળતાથી મળી રહે છે.