રસોડામાં રહેલ લવિંગ દેખાવમાં ખુબ જ નાના હોય છે, પરંતુ તેના અદભુત ફાયદા પણ છે. ભારતીય મસાલાથી લઈને આયુર્વેદિક દવા તરીકે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કવિંગ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

તેમાં એન્ટી વાયરલ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી માઈક્રોબિયલ જેવા ગુણઘર્મો મળી આવે છે. જે શરીરને અનેક પ્રકારના રોગો બચાવી રાખે છે. વ્યક્તિની રોજિંદા જીવન શૈલીમાં એવા કેટલાક ખોરાક ખાઈ લેવાના કારણે ઘણી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ખાવામાં પીવામાં થતો ગડબડના કારણે પેટમાં ગેસ થવાનુ શરુ થઈ જાય છે. તમને જણાવી દઉં કે દર વખતે ગેસ ને દૂર કરવા માટે ની દવાનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ માટે તમે ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરી શકો છો.

લવિંગનો ઉપયોગ ગેસને દૂર કરવા માટે કરી શકાય છે. હવે અમે લવિંગ ખાવાથી થતા સ્વાસ્થ્ય દાતદાઓ વિષે જણાવીશું, તે આરોગ્ય માટે ખુબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. લવિંગ ખાવાથી આ બીમારીમાં રાહત મળે છે.

દાંતના દુખાવા મટાડે: લવિંગમાં એનાલ્જેસિક નામનો ગુણધર્મ ની હાજરી હોવાના કારણે તે દાંતમાં થતા દુખાવામાં રાહત આપે છે. દાંતમાં થતા દુખાવા અને પેઢામાં થતા સોજાને દૂર કરવા માટે લવિંગના તેલને તે જગ્યાએ લગાવાથી આરામ મળે છે.

વજન નિયત્રંણમાં રાખે: વજન ને નિયત્રંણમાં રાખવા માટે લવિંગ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તેને રોજે ચૂસવાથી મેટાબોલિઝમ માં વઘારો કરે છે અને વજન ને નિયત્રંણમાં કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ માટે લવિંગ નો ઉપયોગ વજન ઓછું કરવા માટે કરી શકો છો.

પાચન સુઘારે: લવિંગ ગેસ, અપચો, ઉબકા જેવી પાચનને લગતી સમસ્યાઓમ રાહત આપે છે. આ માટે પેટની તકલીફમાં રાહત મેળવવા માટે લવિંગનો ઉપયોગ કરી શકો છો જે પાચનક્રિયાને સુઘારી પાચન તંત્ર ને મજબૂત બનાવે છે.

કેન્સર: ઘણા સંશોઘન અનુસાર એવું જાણવા મળ્યું છે કે લવિંગનો ઉપયોગ કરવાથી ફેફસાનું કેન્સર, ત્વચાના કેન્સર ને રોકવામાં ઘણી મદદ મેળવી શકાય છે. યુજેનોલ નામનું તત્વ લવિંગમાં મળી આવે છે જે કેન્સર જેવી જીવલેણ બીમારીના જોખમ ને ઘણી હદ સુઘી રાહત આપે છે.

સાંઘાનો દુખાવો: જયારે સાંઘાના દુખાવાની સમસ્યા થવા લાગે છે ત્યારે તે વઘતા જ જતા હોય છે અને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તમને જણાવી દઉં કે લવિંગમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે સાંઘાના દુખાવા અને પીડાથી મુક્તિ અપાવે છે. આ માટે તમે સાંઘાના દુખાવામાં લવિંગના તેલની માલિશ કરી શકો છો જે દુખાવામાં તાત્કાલિક રાહત આપશે.

પિમ્પલ્સ: જો તમે પણ પિમ્પલ્સની સમસ્યાથી હેરાન થઈ ગયા હોય તો તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગમાં ઈન્ફેક્શન સામે લડવાની ક્ષમતા વધુ હોય છે જે પિમ્પલ્સના વધતા ચેપને અટકાવી તેને મૂળથી દૂર કરવામાં મદદ કરે છે.

મોં ની ખરાબ વાસ: મોં માં આવતી ખરાબ વાસના કારણે ઘણા લોકો ખુબ જ ચિંતિત હોય છે જે દુર્ગઘ પેટ ખરાબ થવા અથવા તો ખોરાક ના પચવાના કારણે પણ આવી શકે છે આ માટે લવિંગનો ઉપયોગ કારણે મોં માં આવતી ખરાબ વાસને દૂર કરી શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *