જુના જમાનાની લાઈફસ્ટાઈલ અને આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન વગેરેના કારણે, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. દરરોજ સવારે આજની સૌથી મોટી તકલીફ કબજીયાતથી મોટી ઉંમરના માણસો જ નહીં, પરંતુ આજના યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે.
પરંતુ જો આ સમસ્યામાં થોડીક સાવધાની રાખવામાં આવે તો આ સમસ્યાથીઓ ચોક્કસ છુટકાળો મેળવી શકાય છે. કબજિયાત થવાથી શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી ઘણી સમસ્યાઓ થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો તમે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકો છો.
સૌ પ્રથમ જાણીએ કબજીયાત થવાના કારણો: કબજિયાત થવાના ઘણા કારણો હોય છે જેવા કે ભોજનમાં ફાયબરનો અભાવ, શરીરમાં પાણીની અછત, જમ્યા પછી ન ચાલવું, કોઈ પણ પ્રકારનો શારીરિક પરિશ્રમ ન કરવો, દવાઓનું સેવન કરવું, થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું, શરીરમાં કેલ્શિયમ અને પોટેશિયમની અછત, ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ, ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી કબજિયાત ની સમસ્યા થઇ શકે છે. હવે જાણીએ કબજિયાતના ઉપાય વિષે.
લસણ: કબજિયાતથી પીડાતા લોકોએ જમવામાં લસણનું સેવન કરવું જોઇએ કારણકે, લસણ મળને નરમ કરે છે અને તેને સરળતાથી તમારા આંતરડાની બહાર નીકાળવામાં મદદ કરે છે. આ ઉપરાંત લસણમાં રહેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટમાં થતા સોજાને પણ ઓછો કરવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાથી છુટકાળો મેળવવા માટે તમે રોજ સવારે 1 થી 2 કળી લસણ ગળી શકો છો.
પાણી: પાણી વગર જીવન અશક્ય છે અને આપણા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભદાયક છે. દરેક વ્યક્તિએ આખા દિવસમાં આંઠ થી દસ ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ. દિવસ દરમિયાન સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાના મોટા રોગોનો નાશ થઇ જાય છે. આ ઉપરાંત સવારે નારણાં કાંઠે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સવારે થોડું હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલો કચરો સરળતાથી બહાર નીકળી જાય છે.
મેથી દાણા: મેથીને સાંધાના દુખાવા અને શરીરમાં શક્તિ મેળવવા માટે રામબાણ માનવામાં આવે છે આ ઉપરાંત મેથીને કબજિયાતની સમસ્યા માટે ઉત્તમ માનવામાં આવે છે. દરરોજ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સૂતા પહેલા એક ચમચી મેથીનું ચૂરણ પાણીમાં મેળવીને પીવું જોઇએ. રાત્રે મેથીનું ચૂરણ લેવાથી મેથી સવારે તમારા પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે.
આ ઉપરાંત દરરોજ દહીં ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થઇ શકે છે. આ સિવાય રોજ રાતે એક ચમચી મેથી દાણા પાણીમાં પલાળી અને સવારે તેણે ઉકાળી નવશેકું રહે એટલે નરણાં કોઠે પીવાથી પણ પેટની સમસ્યાઓ દૂર થાય છે. એસિડિટી, પેટનો દુખાવો, આફરો, બેચેની જેવી સમસ્યામાં મેથી દાણાનું સેવન સૌથી સારો ઉપાય છે.
વરિયાળી: વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. વરિયાળીના ઉપયોગ માટે એક કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો. થોડાજ દિવસ આ ઉપાય કરવાથી કબજિયામાંથી હંમેશા માટે છુટકાળો મળી શકે છે.
જો તમે અહીંયા જણાવેલા દેશી ઉપાય કરશો તો તમને કબજિયાથી હંમેશા માટે છુટકાળો મેળવી શકો છો. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોકટરની મુલાકાત જરૂર લો.