મિત્રો આ લેખમાં તમને ઊંડા શ્વાસ લેવાથી શરીરને થતા અદભુત ફાયદાઓ વિષે જણાવીશું. સવારમાં અથવા તો જયારે સમય મળે ત્યારે દરરોજ થોડા સમય માટે ઊંડા શ્વાસ લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે આપણા શરીરની તંદુરસ્તી વધે છે. માત્ર 5 થી 10 મિનિટ ઊંડા શ્વાસ લેવાથી મન અને શરીરને આરામ મળવાની સાથે ઊંઘ સારી આવે છે અને એકાગ્રતા વધે છે.

શરીરની સારી તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે નિયમિત પ્રાણાયામ કે યોગનો અભ્યાસ એ સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. પ્રાણાયામ મન અને શરીર બંનેને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમથી પણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ઊંડો શ્વાસ લેવા માટે તમે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરી શકો છો.

ધીમા, ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી આપનો સ્વભાવ શાંત બને છે અને જો કોઈને અનિંદ્રાની સમસ્યા હોય તો તેને ગાઢ અને સારી નીંદણ આવે છે. તમે જાણતા હશો કે જયારે કોઈ વ્યક્તિ વધુ ચિંતા કે તકલીફમાં હોવ ત્યારે તેના હૃદયના ધબકારા ઝડપી થઇ જાય છે અને બ્લડફલો હૃદય અને મગજ તરફ ધસી જાય છે.

આ પરિસ્થિતિથી બચવા નિયમિત ઊંડા શ્વાસનો અભ્યાસ કરવો જોઈએ. ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી તમારા મનની એકાગ્રતા વધે છે અને તમારું મન પ્રફુલ્લિત રહે છે. ચાલો જાણીએ ઊંડા શ્વાસ લેવાથી શરીરને થતા અદભુત ફાયદાઓ વિષે.

શરીરની ઈમ્યુનીટી મજબુત બને : ઊંડા શ્વાસ લેવાથી શરીરને તાજો ઓક્સીજન મળે છે અને ઝેરી તત્વો તથા કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. જયારે બ્લડ ઓક્સીજનેટેડ હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. ઊંડા શ્વાસ લેવાથી આપણા બ્લડમાં સંક્રમણ ફેલાવતા તત્વો નાશ થવાની સાથે બ્લડ ક્લીન, ટોક્સીનમુક્ત અને હેલ્ધી રહી શકે છે.

શરીરમાં લોહીનું પરિભ્રમણ ઠીક થાય : ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી શરીરમાં બ્લડફલોની ગતિ વધે છે. શરીરમાં બ્લડફલોની ગતિ વધવાથી ઝેરી તત્વો શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે. ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી શરીરમાં બ્લડફલો ઠીક થવાની સાથે શરીરના બધા અંગોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

હદય તંદુરસ્ત રહે : દરરોજ 5 થી 10 મિનિટ ઊંડા અને લાંબા શ્વાસની કસરત કરતા લોકોના ફેફસાની ક્ષમતા અન્ય લોકો કરતા વધારે હોય છે પરિણામે હૃદયને લગતા રોગોનું પ્રમાણ ઘટી જાય છે. જો તમને હૃદયને લગતી બીમારી છે અથવા હાર્ટ એટેકનું જોખમ છે તો તમારા માટે ઊંડા શ્વાસ ખુબ મદદરૂપ થઇ શકે છે.

શરીરમાંથી ઝેરી તત્વો દુર થાય : દરરોજ ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી શરીરમાંથી પ્રાકૃતિક ઝેરી કચરો, કાર્બન ડાયોક્સાઈડ ઉચ્છવાસથી બહાર નીકળી જાય છે. જયારે તમે ટૂંકા શ્વાસ લોછો ત્યારે તમારા ફેફસા ઓછા કામ કરે છે માટે તમારા અંગોને આ કચરો બહાર ફેકવા માટે વધારે મહેનત કરવી પડે છે.

તણાવ ઓછો થાય છે: તણાવ એક એવી બીમારી છે જે કોઈ પણ માણસને ગાંડો બનાવી શકે છે તેથી તણાવ થી દૂર રહેવું ખુબજ જરૂરી છે. તણાવથી પીડિત વ્યક્તિ જો દરરોજ ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરે તો તેની તણાવની પરીસ્થીતીમાં ઘટાડો થઇ શકે છે.

ઊંડા શ્વાસ લેવાથી ખોટા અને ચિંતાજનક વિચારો અને ગભરામણથી આરામ મળે છે અને હદયની ગતિ ધીમી પડે છે જેથી શરીરના દરેક અંગો વધારે ઓક્સીજન લઇ શકે છે અને હોર્મોન સંતુલિત રહે છે.

થાક ઓછો લાગે: ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં થાક ઓછો લાગે છે તેથી જો તમે કામ કરીને થાકી ગયા હોવ તો 5 મિનિટ ઊંડો શ્વાસ લેવાનું શરુ કરો. જયારે તમે ઊંડા શ્વાસ લો છો ત્યારે શરીરમાં એન્ડોર્ફીન બને છે. આ એન્ડોર્ફીન એક ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવેલું એક પ્રાકૃતિક દર્દનિવારક છે.

ઊંડા અને ધીમા શ્વાસ માટે તમે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરી શકો છો. આ પ્રાણાયામ બંને નસકોરામાંથી ક્રમિક રીતે શ્વાસ લેવાની અને બહાર કાઢવાની પ્રક્રિયા છે, જે સંશોધનમાં ઘણા ગંભીર રોગોની સારવારમાં અસરકારક હોવાનું જણાયું છે. તો ચાલો જાણીએ કે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કેવી રીતે કરી શકો છો.

અનુલોમ-વિલોમ પ્રાણાયામ કેવી રીતે કરવામાં આવે છે?: પ્રાણાયામની કસરતો એકદમ સરળ અને અસરકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે તેને હમણાં જ શરૂ કરવા જઈ રહ્યા છો, તો ચોક્કસ પદ્ધતિ વિશે તમારી આસપાસ રહેલા નિષ્ણાતની મદદ લો. આ શ્વાસ લેવાની કસરત તમારા શરીરમાં થોડા જ સમયમાં સકારાત્મક ફેરફારો લાવવામાં મદદરૂપ થઈ શકે છે.

અનુલોમ-વિલોમનો અભ્યાસ કરવા માટે, સૌ પ્રથમ ધ્યાનની સ્થિતિમાં બેસો. ડાબા હાથથી જ્ઞાન મુદ્રા કરો, જમણા હાથના અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કરો અને ડાબા નસકોરા વડે લાંબો શ્વાસ લો. હવે ડાબા નસકોરાને બંધ કરો અને જમણા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. હવે આ ક્રિયાને બીજા નસકોરા વડે પુનરાવર્તન કરો. દરરોજ 5-10 મિનિટ માટે આ કસરત કરવાનો પ્રયાસ કરો.

જો તમને આ લેખ વંચાવો ગયો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને આગળ મોકલો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઇ શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *