આપણે ભૂખ લાગે ત્યારે આપણે કઈ પણ ખાઈ લઈએ છીએ જેના કારણે આપણા શરીરમાં ખાઘેલ ખોરાક પચતો નથી જેના કારણે પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ, કબજિયાત થઈ શકે છે. આ ઉપરાંત ખાઘેલ ખોરાક ના પચવાથી તેની અસર પાચન તંત્ર પર પડી શકે છે.

શરીરમાં વધારાનો જમા થયેલ ખોરાક અને હાનિકારક ઝેરી તત્વો બહાર ના આવે તો અનેક રોગ થવાનું જોખમ વઘી શકે છે. માટે શરીરની અંદરથી સફાઈ કરવી જોઈએ. શરીરની સફાઈ કરવા માટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ.

લીંબુ: લીંબુ માં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર સ્ત્રોત મળી આવે છે. માટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કરે છે. આ ઉપરાંત લીંબુ પાણી પીવાથી પેટ સાફ થાય છે. જેથી પાચન ક્રિયામાં પણ સુઘારો થાય છે.

બ્રોકોલી અને ફુલાવર: બ્રોકોલી લીલી શાકભાજી માં સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે. બ્રોકોલીમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરમાં રહેલા હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત અઠવાડિયામાં પાંચ દિવસ લીલા શાકભાજીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે.

ફુલાવર અને બ્રોકોલીમાં ભરપૂર ફાયબરની માત્રા મળી રહે છે. માટે આ બંનેનું સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને બહાર નીકાળવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી પેટ સાફ રહેશે જેથી કબજિયાત કે ગેસની સમસ્યામાં આરામ મળશે.

નારિયેળ પાણી: નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ઈલોક્ટ્રોલાઈટ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે શરીરમાં રહેલા ઝહેરી તત્વો અને બેક્ટેરિયાને દૂર કરીને પેટને સાફ કરે છે. જેથી પાચન ક્રિયામાં સુઘારો થાય છે.

બીટ: બીટનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીટને સલાડ અથવા જ્યુસ બનાવીને પી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં રહેલા હાનિકારક તત્વોને દૂર કરે છે. શરીરને અંદરથી સાફ રાખવામાં ઉપયોગી નીવડે છે.

ફળ અને શાકભાજી: શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે શાકભાજી અને ફળો નું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં એન્જાઈમ સક્રિય થઈને ઝેરી તત્વોને બહાર નીકાળવામાં મદદ કરશે. દરરોજ ફળ અને શાકભાજીનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત ફિટ, હેલ્ધી અને જુવાન રાખે છે.

વઘારે પાણી પીવું: શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવા માટે વધારે પાણીનું સેવન ફાયદાકારક છે. વધારે પાણીનું સેવન કરવાથી પેશાબ વાટે ઝેરી બેક્ટેરિયા ને દૂર કરવામાં મદદ કરે છે. માટે આખા દિવસમાં ઓછામાં ઓછા 12 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. પાણીનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને પેને સાફ રાખવામાં મદદ કરશે.

કસરત કરવી: દરરોજ સવારે ઉઠીને 30 મિનિટ કસરત કરવી જોઈએ. કસરત કરવાથી પરસેવા રૂપે શરીરમાં રહેલા હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે. માટે દરરોજ સવારે ચાલવું, દોડવું અને સાયકલિંગ કરવી જરૂરી છે. નિયમિત કસરત કરવાથી શરીર સંપૂર્ણ રીતે ફિટ રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *