ડાયાબિટીસ, કબજિયાત, આંખોની તકલીફ, ત્વચા, એનિમિયા જેવી ઘણીં બધી તકલીફોથી દૂર રહેવા માટે રોજ ભોજનમાં સૂકા ધાણાનો સમાવેશ કરવો જોઈએ. આખા ધાણામાં ઘણાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ ,આયર્ન, વિટામિન B1 અને વિટામિન A રહેલું હોય છે.
ધાણા શરીરની ધણી બધી હેલ્થ સમસ્યાઓને ઠીક કરવામાં આ મદદ કરે છે. તો અહીંયા જાણીએ ધાણાથી થતા કેટલાક લાભો વિશે પેશાબ ની તકલીફ : ૪ ભાગ સાકર અને એક ભાગ આખા ધાણા લઈને વાટી લો. તેને એક શીશીમાં ભરી દો. એક એક ચમચી બે વખત પાણી સાથે લેવાથી અમ્લપિત્તમાં બહુ લાભ થશે. આ ઉપાયથી પેશાબ પણ ખુલીને આવવા લાગશે.
સંધિવા: ધાણામા પુષ્કળ પ્રમાણમા એન્ટિઇન્ફ્લેમેટરી નામના ગુણતત્વ રહેલું હોય છે. જો તેના ઓઈલથી ગોઠણ પર દરરોજ માલિશ કરવામા આવે તો સંધિવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે આ સાથે હાડકામા આવતી નબળાઈઓ દૂર થાય છે.
જો તમે 12 ગ્રામ ધાણાના દાણા, 25 ગ્રામ સૂંઠ, 12 ગ્રામ મરી, 12 ગ્રામ લવિંગ, 12 ગ્રામ અજમા અને 5 ગ્રામ સિંધવ નમક આ બધાને એકસાથે મિક્સ કરી, આ બનેલા ચૂર્ણને ગરમ હુંફાળા પાણી સાથે મિક્સ કરી સેવન કરવાથી સાંધાના દુઃખાવાની સમસ્યામા ઝડપથી રાહત મળે છે.
પેટ ની સમસ્યાઓમાં રાહત: ધાણા ગેસની સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય ધાણા બગડેલા પાચનતંત્રને નિયમિત કરવા માટે ફાયદાકારક છે. ધાણાની ચા પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. બે કપ પાણી લઈ તેમા જીરુ અને કોથમીરના પાન, ચા ની ભુક્કી તેમજ વરિયાળી ઉમેરીને બે મિનિટ સુધી ઉકાળો.
તેને બે મિનિટ ઉકાળ્યા પછી તેમા જરૂર મુજબ સાકર ભેળવો. આ બનેલા મિશ્રણનું સેવન કરવાથી તમારી પેટની બધી જ નાની મોટી સમસ્યાઓમા તમને રાહત મળે છે.
હેડકી: જો તમને નિરંતર હેડકી આવતી હોય તો ધાણાનુ સેવન કરીને તમે આ સમસ્યામાંથી ખુબજ ઝડપથી રાહત મેળવી શકો છો. જો તમે આ આખા ધાણાના અમુક દાણા મોઢામા રાખી તેના રસને ચૂસો તો હેડકની સમસ્યામા રાહત મળે છે.
મસામાંથી છુટકાળો: મસાના બે પ્રકાર હોય છે. વાયુવાળા મસા અને બીજા લોહીવાળા મસા. લોહીવાળા મસા એટલે કે મસામાથી લોહી નીકળે. તે મુખ્યત્વે કબજિયાતની સમસ્યાના કારણે થાય છે. આ એક ખુબ જ ગંભીર બીમારી છે.
આ સમસ્યાના નિદાન માટે વેસેલિનમા વાટેલો કાથો, આખા ધાણા 100 ગ્રામ, 10 ટીપા કેરોસીન અને સત્યાનાશી છોડના મૂળ આ બધી જ વસ્તુઓને વાટીને ચાળીને વેસેલિનમા મિક્સ કરી લેવી. આ બનેલા મલમને લગાવવાથી મસાની સમસ્યામા રાહત મળે છે.
ખીલ : વારંવાર થતા ખીલની સમસ્યાથી પરેશાન થઇ ગયા હોવ તો 2 ચમચી ધાણાનો પાવડરને 1/2 ચમચી ગ્લિસરીનમા મિક્સ કરી ચહેરા પર લગાવવામા આવે તો ચહેરા પરના ખીલની સમસ્યા દૂર થાય છે.
આ સિવાય તાજા કોથમીરના થોડા પાંદડા લઈ તેને વાટીને તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને આ તૈયાર થયેલા લેપને દિવસમા બેથી ત્રણ વાર ચહેરા પર લગાવી લેવો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી થોડાક જ સમયમાં ખીલ તેમજ તેના ખીલના કારણે પડેલા દાગ દૂર થઇ જશે.