દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એવી કેટલીક ટેવ પાડી દે છે જેના કારણે પાછળ જતા ખુબ જ પસ્તાવું પડતું હોય છે. આપણી એવી કેટલીક ખરાબ ટેવ આપણા સહરીરાને શારીરિક રીતે ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

જે આપણાને લાંબા ગાળે ખોખલું કરી નાખે છે જેથી આપણે 5-10 વષઁ જીવન ટૂંકાવી દઈએ છીએ. આ માટે આજે અમે તમને એવી કેટલીક ખરાબ કુટેવો વિષે જણાવીશું જેને તમે કાયમી માટે છોડી દેશો તો તમે 5-10 વર્ષનું આયુષ્ય વધી જશે.

છોડવા જેવી આદતો:
ધુમ્રપાન અને વ્યસન: દરેક વ્યક્તિ જાણે છે કે ધુમ્રપાન કરવું શરીર માટે ખુબ જ હાનિકારક છે. ધુમ્રપાન કરવાથી લાંબા સમયે ફેફસાને ડેમેજ કરી દે છે, ફેફસા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફ પડવી, થાક લાગવો જેવી સમસ્યા થઈ શકે છે. આ માટે દરેક વ્યક્તિ એ બીડી, સીગરેટ, ચલમ થી કાયમ માટે દૂર રહેવું જોઈએ છે.

વ્યસનમાં તમાકુનું સેવન ખુબ જ ઘાતક સાબિત થાય છે, વ્યસન એ એવી વસ્તુ છે જેનું એક વખત સેવન કરી લીધું તો ક્યારેય એ છૂટી શકતું નથી પરંતુ તમને જણાવી દઉં કે વ્યસન આપણે જાતે જ ચાલુ જ કર્યું છે તે તેને છોડવું પણ આપણા હાથમાં જ હોય છે.

માટે જો શરીરને શરીરને હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માંગતા હોય તો આ ખરાબ કુટેવ ને છોડવી જોઈએ જે ફેફસા અને હૃદયને સ્વસ્થ બનાવી ને લાબું જીવન જીવવા માં મદદ કરશે અને નિરોગી રાખશે.

જો તમને બીડી, સીગરેટ, ચલમ , તમાકુ, ગુટખા વગેરેનું વ્યસન છોડવું હોય તો આદુંના ટુકડા કરીને તેને સુકવી દેવાના છે ત્યાર પછી જયારે પણ તમને વ્યસન કરવાનું મન થાય ત્યારે તમારે આદું નો ટુકડો મોં માં મૂકીને ચૂસવાનો છે, એવું તમે 7 દિવસ કરશો એટલે તમારું વ્યસન સંપૂર્ણ બંધ થઈ જશે.

બેઠાળુ જીવન છોડો: આજના આધુનિક સમયમાં કોઈ પણ કામ ખુબ જ આસાનીથી અને એક જ જગ્યાએ બેસીને પતાવી દઈએ છીએ, જેના કારણે શરીર નિષ્ક્રિય થઈ જાય છે શરીરમાં નિષ્ક્રિય દૂર કરવા માટે દરરોજ પરિશ્રમ કરવું જોઈએ આ માટે તમારે રોજે ચાલવું જોઈએ પરસેવો પડવો જેવી ક્રિયા તમારે કરવી જોઈએ.

જે શરીરને ખોખલું બનતા અટકાવે છે. જો તમારું જીવન પણ બેઠાળુ છે અને શરીરને લાંબા સમય સુધી સ્ફૂર્તિવાન બનાવી રાખવું હોય તો રોજિંદા જીવનમાં નિષ્ક્રિયતાને છોડીને પરિશ્રમ કરવો જોઈએ. જે સ્વસ્થ રહેવાની એક નિશાની છે. જે પાચનક્રિયાને પણ સુધારશે અને પેટને લગતી અનેક બીમારીથી બચાવશે.

સમય વગરનું ખાવાનું ટાળો: આજે મોટાભાગના લોકો ને ભૂખ લાગે ત્યારે બહારના ફાસ્ટં ફૂડ અને જંકફૂડ ખાવા માટે લાળીઓ અને દુકાનમાં ઉભા રહી ખાવા લાગતા હોઈએ છીએ. બહારના ખોરાક ખાવાથી તેની સૌથી વધુ અસર પાચનક્રિયાને અસર કરે છે જે બીમારીઓ વધવાનું સૌથી મોટું કારણ છે. આ માટે સમય વગરનું ખાવાનું, ભોજ પછી તરત પાણી પીવું, ભોજન સાથે ઠંડુ પાણી પીવું અને આડેધડ કોઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ.

દારૂ પીવાનું છોડો: દારૂ પીવાથી લીવરને નુકસાન થઈ શકે છે શરીરમાં વધુ પડતું આલ્કોહોલ રહેવાથી શરીરના અંગો માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી લીવર ખરાબ થઈ જાય છે આ માટે આલ્કોહોલનું સેવન નિયમિત પણે સેવન કરવાનું બંધ કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *