આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોપવી ખુબ જ જરૂરી છે, જે અનેક રોગો સામે રક્ષણ આપવાંમાં મદદ કરે છે. પરંતુ હાલમાં અનિયમિત ખાણી પીણી હોવાના કારણે ઘણા રોગોના ઝપેટમાં આવી જતા હોય છે.

માટે આપણી રૂટિન લાઈફમાં કેટલાક બદલાવ કરીને ઈમ્યુનિટીને મજબૂત બનાવી શકીએ છીએ,આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેના પર ઘ્યાન આપવું ખુબ જ જરૂરી છે. આ માટે આપણે કઈ વસ્તુનું સેવન નિયમિત પણે કરીએ છીએ તેના વિષે ઘ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે.

આ માટે આપણે હારમાં કઈ વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ વસ્તુનું સેવન કરવાનું ટાળીને આપણે નબળી પડતી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ. જે આપણા શરીરને રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે.

આ માટે આપણે સીથી પહેલા તો બહારના આહારનું સેવન કરવાનું બંઘ કરવું જોઈએ, આ સિવાય વઘારે પડતા તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, વઘારે તળેલું ખાવાથી સ્વાસ્થ્ય ને નુકસાન પણ થઈ શકે છે. તળેલી વસ્તુનું સેવન કરવાથી પેટમાં બળતરા જેવી સમસ્યા થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે, માટે તળેલા આહારનું સેવન ટાળવું જોઈએ.

આહારમાં ગળ્યું ખાવાનું ટાળવું જોઈએ: ગળ્યું વધારે ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે. બ્લડ સુગર લેવલમાં વધારો થવાથી આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, માટે આહારમાં મીઠી વસ્તુનું સેવન કરવાનું સાવ ઓછું કરી દેવું જોઈએ. વધારે ગળ્યું ખાવાથી આપણા શરીરને ઘણું નુકસાન પણ થઈ શકે છે. માટે રોગપ્રતિકારક શક્તિ વઘારવા ગળ્યું વસ્તુનું સેવન ના કરવું જોઈએ.

મીઠાનું સેવન ઓછું કરવું: આહારમાં મીઠાની માત્રા પણ ધટાડવી જોઈએ વધારે મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ થઈ શકે છે.જેથી ઈમ્યુનિટી ઓછી થાય છે. માટે સફેદ મીઠાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, સફેદ મીઠાની જગ્યાએ કુંડારી રીતે મળી આવતા સિંધાલુ મીઠાનો ઉપયોગ કરવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

બહારના ફાસ્ટ ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ: શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આપણે બહારના આહારનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણકે બહારના આહારમાં ચરબી યુક્ત હોય છે જે પચવામાં ઘણો સમય લે છે જેથી ખોરાક ના પચવાના કારણે તે ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે જેથી વજન વધે છે, આ ઉપરાંત ઘણી બીમારીના શિકાર પણ બનાવે છે. માટે બહારના જંકફૂડ અને ફાસ્ટફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

દરેક વ્યકતિ પોતાના શરીરને નિરોગી રહે તેવું ઈચ્છતા હોય છે માટે ગળ્યું, તળેલું, મીઠા વાળું અને બહારના ફાસ્ટફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જે આપણા શરીરને સ્વસ્થ, હેલ્ધી અને ફિર રાખવામાં મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *